Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકોને હવે કોરોનાનો ભય લાગ્યો, પ્રિકોશન ડોઝ લેનારાની સંખ્યામાં 13 ગણો વધારો થયો

Webdunia
શનિવાર, 24 ડિસેમ્બર 2022 (11:50 IST)
ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ઊભી થયેલી ચિંતા પછી શહેરમાં બુસ્ટર ડોઝ મુકાવનારાની સંખ્યામાં અંદાજે 13 ગણો વધારો થયો છે. અત્યાર સુધી રોજ માંડ 300 લોકો રસી મુકાવતા હતા પરંતુ શુક્રવારે આ આંકડો 4 હજાર વટાવી ગયો હતો. વિવિધ અર્બન હેલ્થ સેન્ટર પર હાલ રસીનો 25 હજારનો સ્ટોક છે જે અઠવાડિયા સુધી ચાલી શકે છે. મ્યુનિ.એ આ ઉપરાંત વધારાના સ્ટોકનો ઓર્ડર આપ્યો છે. દરમિયાન મ્યુનિ.ના આંકાડા મુજબ શહેરમાં 18થી વધુ વયના 10.41 લાખ લોકોએ જ હજુ સુધી પ્રિકોશન ડોઝ મુકાવ્યો છે.

જોકે કોરોનાના નવા વેરિયન્ટના આગમનની બીકે હવે લોકો પ્રિકોશન ડોઝ મુકાવવા દોડી રહ્યા છે. અત્યાર સુધી 18થી વધુ વર્ષના લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 15થી 18 વર્ષના 2.27 લાખ કિશોરે પ્રથમ ડોઝ લીધો છે. 18 વર્ષથી વધુ વયના 47.16 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે, પરંતુ મોટી સંખ્યામાં પ્રિકોશન ડોઝ લીધો નથી.કોરોનાના વધતા કેસોના પ્રિકોશનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અને SVP હોસ્પિટલમાં બેડની તૈયારીઓ કરવામાં આવી છે. SVP હોસ્પિટલમાં 50 બેડનો એક અલાયદો કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. અગાઉ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જે પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા, તે તમામ અત્યારે કાર્યરત છે અને મેઇન્ટેન પણ કરવામાં આવ્યા છે. કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો તૈયાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments