Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ફરીવાર મગફળી કાંડ જેવો મોટો કાંડ થયા હોવાની વાત સામે આવી

ગુજરાતમાં ફરીવાર મગફળી કાંડ જેવો મોટો કાંડ થયા હોવાની વાત સામે આવી
Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (16:01 IST)
રાજ્યમાં  ચકચાર મચાવનારા મગફળી કાંડ જેવો જ કાંડ ફરી શરુ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે, આ કૌભાંડમાં ખેડૂતોના બદલે ખેડૂતો પાસેથી ઉપજ ખરીદતી મંડળીઓનો ભોગ લેવાયો હોવાનો ખુલાસો થયો છે. ગુજકોમાસોલે રાજ્યની 34 મંડળીઓને મગફળી ખરીદવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાજ જે હકિકતો સામે આવી છે તે ચોંકવનારી છે.એક ન્યૂઝ ચેનલને મંડળીઓ આપેલી માહિતી મુજબ ગુજકોમાસોલે 34 મંડળીઓને મગફળીની ખરીદીનો આદેશ આપ્યો હતો. આ 34 મંડળીઓમાંથી 13 મંડળીઓને પૈસા ચૂકવાયા નથી. ગુજકોમાસોલના વેરહાઉસે મંડળીઓને આપેલી રસીદો ગુજકોમાસોલે માન્ય ન રાખતા મંડળી અને ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજકોમાસોલના આ કૌભાંડના કારણે ખેડૂત મંડળીઓના 11 કરોડા રૂપિયા ફસાયા છે.આ મામલે સિહોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પાચા ભાઈએ જણાવ્યું કે અમે ગુજકોમાસોલના આદેશથી મગફળી ખેડૂતો પાસેથી ખરીદી અને ગાંધીધામ વેરહાઉસમાં મોકલી હતી. ગુજકોમાસોલે આ રસીદો નાફેડને આપી અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થયા હતા. એક વર્ષ બાદ અમને જણાવાયું કે રજૂ કરેલી કેટલીક રસીદો ખોટી છે જેથી મંડળીએ તેના પૈસા પરત ચુકવવા પડશે.કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું કે 'ગોડાઉનના મેનેજરો જો કહેતા હોય કે આ ચીઠ્ઠીઓ ખોટી છે તો શું મગફળી આવી જ નથી? રાજ્યએ અગાઉ જોયું છે કે મગફળીની ખરીદીમાં ધૂળ ભેળવાઈ હતી. સરકાર દર વખતે અમે કોઈ ચમરબંધીને નહીં છોડીએ, ચમરબંધી તો ઠીક તમે ઉંદરડાને તો પકડો. આનો રેલો તમારા ઘર સુધી આવે છે. તમામ એજન્સીઓ અને મંડળીઓમાં ભારતીય જનતા પાર્ટીના લોકોની સંડોવણી છે.પાલ આંબલિયાએ જણાવ્યું કે આ મગફળી કાંડનું કૌભાંડ વર્ષ 2017થી શરૂ છે એમ કૉંગ્રેસ કહે છે. સરકારે નક્કી કરેલા વેરહાઉસ, સરકારે નક્કી કરેલો માણસ ચીઠ્ઠી આપે અને સરકાર એજ ચીઠ્ઠી સરકાર ન સ્વીકારે તો આમા સરકાર જ ક્યાંકને ક્યાંક શામેલ છે.વર્ષ 2017 અને નાફેડે ગુજકોર્ટ અને ગુજકોમાસોલને ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સુચવ્યું હતું. આ સંસ્થાઓએ સહકારી મંડળીઓને મગફળી ખરીદવાનું સૂચવ્યું હતું. મંડળીઓએ મગફળી ખરીદી અને સરકારી વેરહાઉસમાં જમા કરાવી દીધી હતી અને તેની રસીદો મંડળીને આપવામાં આવી હતી. આ સંસ્થાઓએ નાફેડ પાસે પેમેન્ટની માંગણી કરી ત્યારે વેરહાઉસે નાફેડને જણાવ્યું કે અમારાથી ખોટી રસીદો અપાઈ ગઈ છે માટે મંડળીઓને પેમેન્ટ ન ચુકવવા જોઈએ. આ પેમેન્ટ 6 મહિનાથી અટવાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments