Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલન બાદ રચાયેલા બોર્ડે સવર્ણો પાછળ કુલ ગ્રાન્ટના માત્ર પાંચ ટકા જ ખર્ચ કર્યો

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:32 IST)
પાટીદાર આંદોલન બાદ ગુજરાત સરકારે બિન અનામત આયોગની રચના કરી સવર્ણોને મહત્તમ લાભ આપવાની જાહેરાત કરી હતી.પણ વિધાનસભામાં ખુદ સરકારે જ કબૂલાત કરી છેકે, ગુજરાત બિન અનામત આયોગમાં હજુય રૂા.૧૧૪૧૩ લાખ વણવપરાયેલા પડી રહ્યાં છે. સરકાર પાટીદાર સહિત સવર્ણ સમાજના લાભાર્થીઓને જાણે લાભ આપવામાં ય કંજુસાઇ કરી રહી છે.
વિધાનસભામાં ભાજપ સરકારે એવી વિગત આપી છેકે, રાજ્ય સરકારે ગુજરાત બિનઅનામત આયોગને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂા.૧૦૦ લાખ જયારે વર્ષ ૨૦૧૯-૧૯માં રૂા.૧૧૮૦૦ લાખની ગ્રાન્ટ આપી હતી. બિન અનામત આયોગે વર્ષ ૨૦૧૭-૧૮માં તો સવર્ણો પાછળ ફુટી કોડી ય વાપરી નહી. વર્ષ ૨૦૧૮-૧૮માં રૂા.૪૮૬ લાખનો ખર્ચ કરી બિન અનામત વર્ગના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ, છેલ્લા બે વર્ષમાં કુલ ગ્રાન્ટના માત્ર પાંચ ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. આજેય ગુજરાત બિનઅનામત આયોગ પાસે રૂા.૧૧૩૧૩.૭૭ લાખ વણવપરાયેલી ગ્રાન્ટ પડી રહી છે. આમ,ઇબીસી અનામતનો જાશ ખાટવામાં આવી રહ્યો છે પણ લાભ આપવામાં સરકાર પીછેહટ કરી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments