Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - તોફાનીઓ ત્રણ કલાક શહેરને બાનમાં લીધું, -શહેર પોલીસ કલાકો સુધી કયાંય દેખાઇ નહીં

Webdunia
બુધવાર, 24 જાન્યુઆરી 2018 (12:30 IST)
ફિલ્મ પદ્માવતની આગે ગુજરાતની શાંતિ ડહોળી નાંખી છે. સુપ્રિમે આદેશ આપ્યા બાદ તોફાનો થવાની ભિતી હતી તેમ છતાંયે ગુજરાત પોલીસ ઉંઘતી રહી હતી.છેલ્લા કેટલાંય દિવસોથી પ્રદર્શનકારીઓએ ગુજરાતમાં ઠેર ઠેર એસટી બસો સળગાવવાનુ શરૃ કર્યુ છે તેમ છતાંયે પોલીસનું વલણ નરમ રહ્યુ છે. એસટી વ્યવહાર બંધ થતાં લોકોનો રોષનો ભોગ થવાના ડરથી સરકારના ઇશારે રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશ્નરે લાલ આંખ કરીને આંદોલનને ડામી દેવા કડક હાથે કામ લેવા આદેશ કર્યો હતો.
પ્રદર્શનકારીઓ સામે સાંપરાધ માનવવધ ગુનો દાખલ કરાશે તેવી ડીંગો હાંકવામાં આવી હતી. ઇસ્કોન મંદિર પાસેથી હિંસક પ્રદર્શન-તોડફોડ કરનાર તોફાની ટોળુ થલતેજ,હિમાલિયા મોલ,વસ્ત્રાપુર સુધી બિન્દાસપણે તોફાને ચડયુ હતું,નિર્દોષ લોકો પથ્થરમારામાં ઘવાયા હતાં. આડેધડ રીતે પથ્થરમારો કરાતાં શોરૃમ-મોલને નુકશાન પહોંચ્યુ હતું. અનેક બાઇકો-વાહનોને આગ ચાંપી દેવાઇ હતી. ત્રણેક કલાક સુધી તોફાનીઓએ જાણે અમદાવાદને બાનમાં લીધુ હતુ પણ જાણે પોલીસનો સહયોગ હોય તેમ ત્રણેક કલાક સુધી કયાંય પોલીસ દેખાઇ ન હતીં. અમદાવાદની જનતાએ સરેઆમ કાયદા વ્યવસ્થાના લીરેલીરે ઉડતા નજરે નિહાળ્યા હતાં.લોકોએ એવો સવાલ ઉઠયો છેકે, કોના સહયોગ-ઇશારે તોફાનીઓને છૂટો દોર મળ્યો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments