Dharma Sangrah

પાલનપુરના ઈકબાલગઢમાં ઘરની બહાર પોસ્ટરો લાગ્યા, મહેમાનોનો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ હશે તો જ ઘરમાં પ્રવેશ મળશે

Webdunia
સોમવાર, 19 એપ્રિલ 2021 (17:52 IST)
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ઘર આગળ જાગૃતિના બોર્ડ લગાવવા લાગ્યાં છે, જેમાં મહેમાનોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોય તો જ ઘરમાં પ્રવેશ કરવાનું બોર્ડ લગાવીને અન્ય લોકોને પણ કોરોના મામલે જાગ્રત રહેવા સલાહ આપી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના એનો કહેર વર્તાવી રહ્યો છે.

જિલ્લાનાં અનેક ગામોમાં કોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે, જેમાં અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં પ્રવીણભાઈ અગ્રવાલ નામની વ્યક્તિએ તો ઘરમાં મહેમાનોને પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રવીણભાઈ અગ્રવાલે પોતાની ઘરની બહાર બોર્ડ લગાવ્યું છે.જેમાં અત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેથી કોઈએ મહેમાનગતિએ આવવું નહીં, કારણ કે અમને અમારા પરિવારની ચિંતા છે અને અત્યંત જરૂરી હોય તો સાથે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈ આવવું, નહીંતર ઘરમાં પ્રવેશ મળશે નહીં. આવી રીતે બોર્ડ મારતાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન પણ થાય છે. બીજી તરફ લોકોને જાગ્રત પણ કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments