Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં પ્રથમ દિવસે ૯૪૭૨ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:11 IST)
સમગ્ર રાજ્યમાં સોમવારથી ૧૫થી ૧૮ વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે ત્યારે  દાહોદ જિલ્લામાં પણ આ વયજુથના બાળકોને વેક્સિનેશન માટેના મહાઅભિયાનનો પૂરજોશ પ્રારંભ થયો છે. ૧૫ થી ૧૮ વર્ષના વયજુથના બાળકો માટેના આ વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં ૯૪૭૨ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દાહોદની કુલ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે આરબીએસકેની ૫૫ ટીમો તેમજ ૧૪૩ વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી.
તરૂણો માટેના આ નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદની એક કન્યા શાળા ખાતેથી કરાવ્યો હતો અને તેમણે આ વયજુથમાં આવતા તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૮ જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર વિવિધ શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં આજે ૧૪૩ શાળાઓમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જયારે આગામી તા. ૪ થી તા. ૮ દરમિયાન અનુક્રમે ૧૦૪, ૩૯, ૬૩, ૩૨, ૧ - શાળાઓને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરાશે.
 
સોમવારે જિલ્લામાં થયેલા રસીકરણની વિગતો તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં ૧૫૯૭, ગરબાડામાં ૧૧૮૧, ધાનપુરમાં ૧૦૮૫, દેવગઢ બારીયામાં ૧૩૨૪, ફતેપુરામાં ૪૫૫, લીમખેડામાં ૯૬૮, ઝાલોદમાં ૧૮૯૧, સંજેલીમાં ૪૬૩, સીંગવડમાં ૫૦૮તરૂણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાની વેક્સિન લેવા માટે તરૂણોએ પણ ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો અને વહીવટી તંત્રની ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

યુપીના બહરાઈચમાં શુક્રવારની નમાજ પહેલા સુરક્ષા સઘન, બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

આગળનો લેખ
Show comments