Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિત્યાનંદ આશ્રમમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ અંગે તપાસ

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (13:02 IST)
હાથીજણ  પાસેના નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ અને બાળકોને ગોંધી રાખવાના પ્રકરણનો વિવાદ વધી રહ્યો છે, આજે ઇમિગ્રેશન વિભાગે પણ આશ્રમમાં  વિદેશના કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેની તપાસ શરૂ કરી છે.  તો વિવેકાનંદનગર  પોલીસે પણ બાળકોને ગોંધી રાખવાના  અને લાપત્તા યુવતીની તપાસનો ધમધમાટ શરૂ કરીને આશ્રમના ૨૧ વિદ્યાર્થીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે તામીલનાડુના વતની અને હાલમાં એસ.પી.રિંગ રોડ, ઝુંડાલ ખાતે વિવાન ઇન્ફેનેટીમાં રહેતા જનાર્દન રામકૃષ્ણ શર્માએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હાથીજણ પાસે હિરપુર ખાતેના નિત્યાનંદ આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણ પ્રિયા તથા માં પ્રિતતત્વા સામે પોતાની પુત્રી ગુમ અને બાળકો પાસે બાળ મજૂરી કરાવી ગાળો બોલવામાં આવતી હતી. એટલું  જ નહી શિક્ષા તરીકે માર મારવામાં આવતો હતો અને આશ્રમથી અપહરણ કરીને પુષ્પક સિટી ખાતેના મકાનોમાં બે સપ્તાહ સુધી ગોધી  રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો  ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આ ઘટના  અંગે એસીપી કે.ટી.કામરીયાના જણાવ્યા મુજબ આશ્રમમાં અભ્યાસ કરતા ૨૧ વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવી  રહ્યા છે. જેમાં શિક્ષાના નામે બાળકોને ધમકાવવામાં કે  પછી મારવામાં આવે છે કેમ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પક સિટી ખાતે લઇ જવામાિં આવે છે કે કેમ તેમજ ફરિયાદીના ગુમ પુત્રી અંગે પણ પોલીસ દ્વારા આશ્રમમ સંચાલકોની પૂછપરછ કરવામાં આવી છે. બીજીતરફ બાળકોેને ગોંધી રાખવાના  આક્ષેપને લઇને આજે ઇમિગ્રેશન વિભાગે પણ આશ્રમમાં તપાસ કરતાં  મલેશિયા અને અમેરિકાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું છે તેમના આશ્રમ તરફથી કોઇ હેરાનગતિ કરવામાં આવે છે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ગુમ યુવતી વિડિયો કોલથી વાત કરી રહી છે પોલીસ દ્વારા આ યુવતીને હાજર કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ફરયાદીની મોટી દિકરી કયા દેશમાં છ ેતેની તપાસ પણ ઇમિગ્રેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તો ફરિયાદી દ્વારા આશ્રમના સંચાલકો સામે જે આક્ષેપો થયા છે તે સ્વામિ નિત્યાનંદ, પ્રાણપ્રિયા તથા માં પ્રયતત્વા સહિત લોકોની પણ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા કોલ ડિટેઇલ આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments