Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાન્યુઆરીમાં પણ રાત્રિ કરફ્યું યથાવત રહેશે કે નહી? જાણો સરકારનો જવાબ

Webdunia
શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (10:34 IST)
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી ગયા હતા. એટલા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોરોનાના કેસમાં વધારાના કારણે દિવાળી બાદ સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં રાત્રે કરફ્યું લગાવી દીધું છે. રાત્રિ કરફ્યુંના કારણે લોકો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ વિના બહાર નિકળી જશે નહી. જે લોકો કામ વિના કરફ્યુંના સમયે સસ્તામાં શહેરોના રસ્તા પર ફરી રહ્યા છે તેમના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ કરફ્યું વધારવામાં આવી શકે છે. 
 
ગુજરાત હાઇકોર્ટ, કોરોનાના મુદ્દે રાજ્યમાં દાખલ એક સૂઓમોટો અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે ક્રિસમસ, 31 ડિસેમ્બર, નવા વર્ષ અને ઉત્તરાયણના તહેવારો દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે. વકીલે કોર્ટને જણાવ્યું કે રાત્રિ જરૂરી છે અને આ કરફ્યું હજુ થોડો સમય ચાલુ રહેશે, કારણ કે તેનાથી કોરના કેસની સંખ્યા ખૂબ વધી ગઇ છે. 
 
ઉલ્લેખનીય છે કે નવા વર્ષના દિવસે લોકોને વધૂ છુટ મળવાના કારણે મોટી સંખ્યામાં લોકો ખરીદારી માટે એકત્ર થયા હતા. આ સાથે જ નવા વર્ષના દિવસે લોકો પોતાના સંબંધીઓના ઘરે મુલાકાત લેવા ગયા હતા. એટલા દિવાળી બાદ કોરોનાના કેસમાં વૃદ્ધિ થઇ અને સૌથી વધુ કેસ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જોવા મળ્યા હતા. કોરોના પર અંકુશ મેળવવા માટે ફરીથી અનલોકની ગાઇડલાઇન વચ્ચે રાત્રિ કરફ્યુંનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ લગ્નમાં 200 લોકોની મર્યાદા ઘટાડીને 100 લોકો સુધી સીમિત કરી દીધી છે. સરકારના આ પ્રયાસોથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઇ ગયું છે. 
 
મહત્વપૂર્ણ એ છે કે 24 ડિસેમ્બરના રોજ રાજ્યમાં નવા 990 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1181 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,24,092 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments