Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર મફત થાય છે તો ગુજરાતમાં કેમ નહીં?

Webdunia
સોમવાર, 24 મે 2021 (15:48 IST)
ગુજરાતમાં કોરોના મહામારી ધીરે-ધીરે ઓછી થઈ રહી છે તો હવે નવી એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સિવિલમાં 500થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ મ્ચુકોરમાઈકોસિસની સારવાર મફતમાં કરવા માંગ કરી છે. તેમજ ઈન્જેક્શનની કાળાબજારી પર લગામ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે કોરોનાની બીજી લહેરમાં દવાઓ, ઓક્સિજન અને બેડની સુવિધાને લઈને અનેક લોકો હેરાન થયાં છે. કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. ત્યારે કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીએ માથું ઉંચક્યું છે. તેની સારવાર રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોસાય તેમ નથી. આ સારવાર પાછળ 9થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તેમજ એક દર્દીને એન્ફોટેરિસિન ઈન્જેક્શનનો 100થી 150નો ડોઝ આપવામાં આવે છે.તેમણે પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે રાજસ્થાન સરકારે મ્યુકોરમાઈકોસિસની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફતમાં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. તમારી સંવેદનશીલ સરકાર સમક્ષ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ રોગની મફતમાં સારવાર મળે તેમજ ઈન્જેક્શનની કાળાબજારી પર લગામ લગાવવામાં આવે તેવી મારી વિનંતી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments