Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક-બે ટમેટા લઈને શાકભાજીના નામે લોકડાઉનનો ભંગ કરતાં યુવાનો સામે કડક કાર્યવાહી કરાશે: શિવાનંદ ઝા

કોરોના વાયરસ
Webdunia
મંગળવાર, 31 માર્ચ 2020 (17:50 IST)
દેશમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "ઘરે રહો, સુરક્ષિત રહો" મંત્રને ચરિતાથૅ  કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા રાજ્યના નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે.cના સંક્રમણને અટકાવવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "ઘરે રહો, સુરક્ષિત રહો" મંત્રને ચરિતાથૅ  કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા રાજ્યના નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે.
 
શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે આ લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ મદદ કરવાની ભાવના સાથે ગુજરાત પોલીસ મક્કમતાથી સંવેદનશીલતાપૂર્વક ફરજ બજાવે તેવી સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત લોકડાઉનની સ્થિતિમાં પણ એક-બે ટામેટાના બહાના હેઠળ બહાર ફરતા તેમ જ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર યુવાનો સામે કડક કાર્યવાહી કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં એકલા રહેતા વૃદ્ધજનોને તેમજ મહિલાઓ કોઈ પણ સમયે મદદ માટે પોલીસની વિવિધ હેલ્પલાઇન જેવી કે-૧૦૦, ૧૧૨, ૧૦૭૭ અને ૧૦૭૦ ઉપર સંપર્ક કરી શકશે.
 
શિવાનંદ ઝાએ કહ્યું હતું કે રાજ્યના કરિયાણાના વેપારીઓ પણ ગ્રાહકોને ટોકન આપવાની વ્યવસ્થા કરી અથવા ખરીદી વખતે બે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે આ ઉપરાંત પરિસ્થિતિ મુજબ ટેલિફોનથી પણ ખરીદી કરવાનો સમય નક્કી કરી શકાય. 
 
પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૯૮૩ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૩૯૪ તેમજ અન્ય ૪૦ મળી કુલ ૧,૪૧૭ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨,૫૩૯ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૬,૧૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ-૮,૭૭૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments