Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના આ 3 યુવા ક્રાંતિકારીઓને ભારત રત્ન આપવા પીએમ મોદીને 19,000 પત્રો લખ્યા

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (12:20 IST)
ભારતનાં મહાન યુવા ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમજ દેશનાં યુવાનોમાં આઝાદી મેળવવા ક્રાંતિ જાગે તે માટે હસતા મોઢે ફાંસી પણ સ્વીકારી હતી. આવા યુવા ક્રાંતિકારીને આજ સુધી શહીદનો દરરજો આપવામાં નથી આવ્યો. ભારત રત્નનો પુરસ્કાર પણ નથી આપવામાં આવ્યો. ત્યારે હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિક એસોસીએશન દ્વારા શહીદ જાગૃતિ અભિયાન નામનું એક ખાસ અભિયાનચલાવવામાં આવી રહી છે.જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પણ લખવામાં આવ્યા છે. આ મુહીમમાં સ્થાનિક લોકો, દેશપ્રેમી જ નહિ પણ અલગ અલગ રાજ્યોમાંથી સાંસદો અને ધારાસભ્યો સહિત રાજકીય આગેવાનોનાં સમર્થનવાળા પત્રો પણ વડાપ્રધાનને મોકલવામાં આવ્યા છે.અત્યાર સુધી દેશનાં 542 સાંસદો, 182 ધારાસભ્યો સહીત રાષ્ટ્રપ્રેમીઓએ પીએમને પત્ર લખ્યા. ફક્ત રાજકોટ કે ગુજરાત જ નહિ પણ અલગ અલગ રાજ્યોમાંથી આ મુહીમને ભારે સમર્થન મળી રહ્યું છે.એટલુજ નહિ, ભગતસિંહજે રાજ્યમાંથી આવે છે તેવા પંજાબનાં આગેવાનો પણ આ મુહીમમાં મોટી સંખ્યામાં જોડાયા છે અને તેવોના મત મુજબ આ અભિયાનખરેખર પંજાબનાં લોકોએ ચલાવવી જોઈએ.ગુજરાતનાં અને ખાસ કરીને રાજકોટનાં આ યુવકો દ્વારા જે અભિયાનચલાવવામાં આવ છે તેને બિરદાવવામાં આઈ રહી છે.આ મુહિમમાં છેલ્લા એક વર્ષમાં 19000 જેટલા પોસ્ટ કાર્ડ પીએમને મોકલવામાં આવ્યા છે.રાજકોટનાં 15 જેટલા મિત્રોએ મળીને ખાસ આ મુહિમની શરૂઆત કરી છે. દરેક મિત્રો પોતાની નોકરી અને રોજિંદા કામ માંથી અમુક સમય કાઢી આ મુહિમને આગળ વધારે છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments