Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે વર્ષમાં માત્ર અને માત્ર 222 જ સિંહોનાં મોત થયાં

Webdunia
બુધવાર, 17 જુલાઈ 2019 (13:13 IST)
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી. તે પૈકી તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે.

આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે. સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments