Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવર્ણોને જીપીએસસીની પરીક્ષામાં બેસવાની વયમર્યાદા વધારવા બિન અનામત આયોગની રૂપાણી સરકારને ભલામણ

Webdunia
શુક્રવાર, 18 મે 2018 (14:33 IST)
ગુજરાત સરકાર દ્વારા સવર્ણો માટે રચવામાં આવેલા બિન અનામત આયોગે અનામતનો લાભ ન મેળવતા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષામાં બેસવાની મહત્તમ વય મર્યાદા વધારવામાં  આવે તેવી સરકારને ભલામણ કરી છે. હાલ સવર્ણ વર્ગના ઉમેદવાર 35 વર્ષની વય સુધી જીપીએસસીની પરીક્ષા આપી શકે છે. પાટીદાર આંદોલન પછી રચાયેલા આયોગે  પોતાનો પહેલો   રિપોર્ટ સરકારને સોંપ્યો છે, જેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આયોગે સરકારને એવી પણ ભલામણ કરી છે કે, એસસી-એસટી તેમજ ઓબીસી સ્ટૂડન્ટ્સ માટે બનાવવામાં આવેલી સમરસ હોસ્ટેલોમાં જો જગ્યા ખાલી હોય તો  તેમાં સવર્ણ વિદ્યાર્થીઓને પણ રહેવા દેવામાં આવે.

આ આયોગના ચેરપર્સન હંસરાજ ગજેરાના જણાવ્યા અનુસાર, સીએમ વિજય રુપાણીને રિપોર્ટ સોંપાયો છે, જેમાં અનામતનો લાભ ન મેળવતા સવર્ણ યુવાવર્ગના કલ્યાણ માટે કેટલીક નીતિગત ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો પર શું નિર્ણય લેવો તે સરકારે નક્કી કરવાનું છે. ગજેરાએ એમ પણ કહ્યું હતું કે, બે વર્ગો વચ્ચે  મનદુ:ખ કે પછી મતભેદ ઉભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ભલામણો  કરાઈ છે. જેમ કે, એમપીમાં બિન અનામત વર્ગના યુવકો પણ 40 વર્ષની વય સુધી સરકારી નોકરી મેળવી શકે છે, જ્યારે આપણે ત્યાં તે મર્યાદા 35 વર્ષની છે. અનામતની માંગ સાથે આંદોલન શરુ કરનારા પાટીદારો સાથે સરકારે કરેલી વાતચીતમાં સવર્ણો માટે અલગ આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિને જ ગાંધીનગરમાં સીએમ વિજય રુપાણીએ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકારે બિન અનામત વર્ગ માટે નિગમ પણ બનાવ્યું છે, અને તેને 500 કરોડનું ફંડ અપાયું છે. આ નિગમ પણ ટૂંક જ સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments