Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરાજીમાં કરા સાથે અડધો ઈંચ વરસાદ, વૃક્ષો ધરાશાહી થતાં વાહનવ્યવહાર અટવાયો

Webdunia
ગુરુવાર, 17 મે 2018 (13:05 IST)
ધોરાજી વિસ્તારમાં બુધવારે સાંજે વાતાવરણમા અચાનક પલ્ટો આવતા ભારે પવન ફૂંકાતા  પાટણવાવ રોડ પર વૂક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં અને વાહનવ્યવહારને અસર થઈ હતી. આ અંગે નાયબ કલેક્ટર તુષાર જોષી, ધોરાજીના મામલતદાર અપારનાથીએ ધરાશાયી થયેલા વૂક્ષોને  દૂર કરાવીને રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો. તેમજ કરા સાથે પોણા કલાકમાં જ અડધો ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો. આ વાવાઝોડામાં 76 વૃક્ષોનો સોથ બોલી ગયો હતો. જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ વાદળો ઘેરાયાં હતાં. બીજી તરફ ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

ધૂળ આંધી સર્જાઇ હતી. તેમજ જૂનાગઢ પંથકમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા પોરબંદર, વેરાવળ અને જાફરાબાદના દરિયામાં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની સ્પીડ વધી શકે જેના કારણે બંદર પર તેની અસર થવાની શક્યતા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments