Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન હકીકત બની જશે

Webdunia
મંગળવાર, 15 મે 2018 (14:32 IST)
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે ચાલતી ડૉ. એ.એન. ખોસલા લેક્ચર સિરીઝના ભાગરૂપે શનિવારે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેનું વ્યાખ્યાન યોજાયું હતું. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે તેમણે વાત કરી. આઇઆઇટી રૂરકી એલ્મની એસોસિએશનના અમદાવાદ ચેપ્ટર યોજિત આ લેક્ચરમાં અચલ ખરેએ આ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં થઇ રહેલા સરવેમાં થતાં પ્રયત્નો અને એન્જિનિયરિંગ સામેના પડકારો વિશે વાત કરી હતી. 

તેમણે જણાવ્યું કે, 2023 સુધીમાં ભારતમાં બુલેટ ટ્રેન હકીકત બની જશે, જે એન્જિનિયરિંગ ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. ઉપરાંત, તેમણે આ પ્રકારના પ્રોજેક્ટમાં જોડાવા માટે એન્જિનિયરિંગ ક્ષેત્રના ઇનોવેટર્સ અને રિસર્ચસે શું કરવું જોઇએ તેની સલાહ પણ આપી હતી. અચલ ખરે રૂરકી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, તેમજ ભાખરા નાંગલ ડેમ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરી ચુક્યા છે. આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર તેમજ આઇઆઇટીઆરએના પ્રેસિડેન્ટ ડૉ. સુધીર જૈને અચલ ખરેનું સન્માન કર્યા બાદ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, સમાજને અને દેશને લાભ થાય તે માટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે વધુ જોશપૂર્વક આગળ વધી શકે તેવી તકો વધવી જોઇએ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments