Webdunia - Bharat's app for daily news and videos

Install App

સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસનો દરોડો, અનાજમાંથી મરેલો ઉંદર નિકળતાં કલેકટરના ટેબલ પર ઢગલો કર્યો

Webdunia
સોમવાર, 16 એપ્રિલ 2018 (15:08 IST)
રાજકોટ શહેરના ઘાંચીવાડમાં સસ્તા અનાજની દુકાનમાં કોંગ્રેસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અનાજમાંથી મૃત ઉંદરો મળી આવ્યા હતા. આ મૃત ઉંદરો સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર સમક્ષ જ તેમના ટેબલ પર મૃત ઉંદરો અને અનાજનો ઢગલો કર્યો હતો. આથી કલેક્ટર પણ રોષે ભરાયા હતા. મૃત ઉંદરો અને અનાજ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. કોંગ્રેસે ટેબલ પર ઢગલો કરતા કલેક્ટર પણ ઉશ્કેરાયા હતા, કલેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. કલેક્ટરે પોલીસની મદદથી તમામને કચેરીની બહાર કાઢ્યા હતા અને જિલ્લા પુરવઠા અધિકારીને મળવા સૂચના આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એકલી રહેતી મહિલાઓએ તેમની સલામતી અને સ્માર્ટ લિવિંગ માટે આ ટિપ્સ અપનાવવી જોઈએ, જીવન સરળ બનશે.

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments