Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરની નિમણૂકનો પ્રશ્ન ફરી ઘોંચમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરની નિમણૂકનો પ્રશ્ન ફરી ઘોંચમાં
Webdunia
શુક્રવાર, 30 માર્ચ 2018 (13:15 IST)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરની નિમણૂકનો પ્રશ્ન ફરી ઘોંચમાં પડ્યો છે. નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કયારે થશે, તેવા સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 'ટૂંક સમયમાં થશે' તેવો રૂટિન જવાબ આપ્યો હતો, પરંતુ આ ટૂંક સમય કયારે આવશે એપ્રિલના ફર્સ્ટ વીકમાં કે સેકન્ડ વીકમાં, તેનો જવાબ આપી સરકારે ગત સપ્ટેમ્બર,2017માં સર્ચ કમિટી બનાવી હતી અને તેના ત્રણ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી.

આ સર્ચ કમિટીની એક બેઠક યોજાયા બાદ 20મી ફેબ્રુઆરીએ 16મા વાઇસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણની ટર્મ પૂરી થશે તે પૂર્વે જ નવા વાઇસ ચાન્સેલરની જાહેરાત થઇ જશે તેમ જણાતું હતું. પરંતુ ત્યારબાદ એકાએક સમગ્ર પ્રકરણને રાજકીય ગ્રહણ લાગી ગયું હોય તેમ વિધાનસભાની ચૂંટણી બાદ નવા વાઇસ ચાન્સેલર કોને બનાવવા તેનો નિર્ણય નક્કી કરી મેડિકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડિયાને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરની નિમણૂકને સવા મહિનો થઇ ગયા બાદ પણ સર્ચ કમિટીના સભ્યોએ 3 ઉમેદવારોનું લિસ્ટ રાજ્યપાલને આપવા માટે હજુ સુધી બેઠક બોલાવી નથી. બેઠક રાજકીય ઇશારે અટકાવાયાની ચર્ચા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments