Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોટાદ અકસ્માત : વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી

Webdunia
મંગળવાર, 6 માર્ચ 2018 (13:26 IST)
ભાવનગરના બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં 30 જેટલા જાનૈયાઓના મોત નિપજ્યાં છે. આટલા મોટા અકસ્માતને કારણે આખા ગુજરાતમાં ચકચાર જામી  છે ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે ટ્વીટ કરીને આ દુ:ખમાં સહભાગી બન્યા છે. આજે મંગળવારનો દિવસ ભારે અમંગળ સાબિત થયો છે. ભાવનગરમાં રંધોળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં જાનૈયાઓ ભરીને લઈને જઇ રહેલો જીજે14 ટી 4946 નંબરનો ટ્રક એકાએક બ્રીજ પરથી નીચે ખાબક્યો હતો. જેના પગલે અકસ્માતમાં 30 જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતમાં વરરાજાના માતાપિતાના મોત થયાં છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં કલેક્ટરે 26થી વધુના મોતની પુષ્ટિ કરી છે અને બાકીના લોકોને ભારે ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments