Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવાનને સળગાવ્યાનો મામલો: તંત્રએ માંગો સ્વીકારી લેતાં પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો

Webdunia
શનિવાર, 3 માર્ચ 2018 (12:03 IST)
23 ફેબ્રુઆરીએ રાત્રે વેરાવળના આંબલિયાળા ગામના દલિત યુવાન ભરત ગોહેલને ચાર અજાણ્યા શખ્સોએ જીવતો સળગાવી દેતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પરિવારે આરોપીઓ ઝડપાય ન જાય તેમજ તેની માંગો ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ગીર સોમનાથ પોલીસે મુખ્ય આરોપી દેવાયત જોટવાને ઝડપી લીધો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પણ રાજકોટ દોડી આવ્યા હતા અને દલિત પરિવારની માંગોને લઇને લેખિતમાં ખાતરી આપતા મૃતદેહ સ્વીકારી લીધો હતો. જેમાં પત્નીને નોકરી અને રહેવા ઘરની માંગ કરી હતી.

ભરતના પરિવારજનોએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સમક્ષ માગણીઓ રજૂ કરી હતી જેમાં અન્ય ચાર આરોપીઓને સાત દિવસમાં ધરપકડ કરવી. તપાસનીશ અધિકારીઓ દ્વારા ખાતાકીય પગલા લેવા. ભરતની પત્ની મીરાબેનને 3 મહિનામાં નોકરી આપવી, 30 દિવસમાં રહેવા માટે મકાન આપવું, સમાજ કલ્યાણ વિભાગ પાસેથી 9 લાખ અને વધારાની સહાય આપવાની જોગવાઇ કરવી. જે કલેક્ટરે લેખિતમાં ખાત્રી આપતા પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments