Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ સત્રના પહેલાં જ દિવસે કોંગ્રેસ આકરા પાણીએ, પાણી વગરના રુપાણી રાજીનામું આપે તેવા સુત્રોચ્ચાર

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (15:02 IST)
વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પ્રથમ દિવસે  કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગૃહમાં ગવર્નર પ્રવચન આપી રહ્યાં હતાં, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની માગ કરી હતી. ભારે હોબાળાના કારણે ગવર્નરે માત્ર મિનિટમાં જ પ્રવચન પૂરું કર્યું હતું. બજેટ સત્રના પહેલાં દિવસે જ ગવર્નરના પ્રવચન દરમિયાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. તેમણે CMના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી વગરના રૂપાણી રાજીનામું આપો, દલિતો ન્યાય આપો, ખેડૂતોને પાણી આપો, જેવા સૂત્રો ગૃહમાં ગૂંજી ઉઠ્યા હતા. ભારે વિરોધને કારણે અડધા કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments