Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતો ભ્રષ્ટાચાર સામે નર્મદા નિગમ સામે આંદોલન કરશે

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (12:41 IST)
ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતા નર્મદાના પાણી મામલે સરદાર સરોવર નર્મદા નિગમ અને ગુજરાત સરકાર તેમના ભ્રષ્ટચારને છુપાવવા જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. શાખા નહેર સાથે જોડવા માટેનું એકમાત્ર કારણ માઇનોર-સબ માઇનોરના બાંધકામમાં થયેલો અસાધારણ ભ્રષ્ટાચાર છે તેવો આક્ષેપ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત ખેડૂત સમાજે જણાવ્યું છે કે, 'માળિયા બ્રાન્ચ કેનાલમાં જોવા મળ્યું છે કે માઇનોર કે સબ માઇનોરમાં એકપણ વાર પાણી છોડાતું નથી. મોટાભાગની માઇનોર-સબ માઇનોર બનાવીને રાખી છે પરંતુ તેને શાખા નહેર સાથે ઇરાદાપૂર્વક જોડી નથી.

કેમકે, જોડે તો પાણી છોડવું પડે, પાણી છોડે તો નહેર ધોવાઇ જાય અને ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડે. માઇનોર સબ માઇનોરમાં પાણી નહીં છોડાતા ખેડૂતોને નાછૂટકે મશિન મૂકીને સિંચાઇ કરવી પડે છે. નિગમની બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. પાણી આવ્યાને ૧૬ વર્ષ થવા છતાં માઇનોર-સબ માઇનોર કેનાલમાં પાણી છોડી શકાય નહીં એટલું બિન કાર્યક્ષમ નિગમ ક્યાંય જોવા મળે નહીં. આગામી સમયમાં રાજ્યભરના ખેડૂતોની બેઠક થશે અને ભાવિ કાર્યક્રમ ઘડાશે. જેમાં ભ્રષ્ટાચારમાં ડુબેલા નિગમ પાસેથી પાણી અને પૈસાનો હિસાબ મેળવવાનો ઉગ્ર કાર્યક્રમ હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments