Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારી,મુખ્ય સચિવની મુલાકાત

Webdunia
બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (15:26 IST)
કેવડીયાની સાધુ ટેકરી પર આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી શકયતાઓ તેજ બની છે. શિવરાત્રીના દિવસે રાજયના મુખ્ય સચિવ જે.એન. સિંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. 2,989 કરોડ રૂપિયાના પ્રોજેકટમાં અત્યાર સુધી 80 ટકા કામગીરી પુરી થઇ છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને તેની કામગીરીનું જાત નીરીક્ષણ કરી રાજ્યના મુખ્ય સચિવે આ તમામ કામ 31 ઓક્ટોબર પહેલા પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2013ના રોજ કર્યુ હતું.31 ડિસેમ્બર 2014 ના રોજ આ પ્રતિમાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે 31 ઓકટોબર 2018ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ પ્રોજેકટ પાછળ 2989 કરોડના ખર્ચ કરવામાં આવશે. કોંક્રિટનું સ્ટ્રકચર તૈયાર થઇ ગયા બાદ હવે બે તબકકામાં આખરી ઓપ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments