Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરાના વાલીએ પત્ર લખીને ડાકોરમાં ભગવાન રણછોડજીની મદદ માંગી

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:41 IST)
ફી મુદ્દે આંદોલન કરી રહેલા શૈશવ સ્કૂલના વાલીએ રણછોડજી પાસે મદદ માંગતો પત્ર લખ્યો છે. રણછોડજી મહારાજને સંબોધીને લખેલા આ પત્રમાં શાળા સંચાલકોને સદબુદ્ધી આપવા અને વાલીઓની મદદ કરવા માટે વિનંતી કરી છે. ડાકોર સ્થિત રણછોડજી મંદિરમાં વાલીએ પોતાની અરજી રણછોડજીની પ્રતિમા સમક્ષ અર્પણ કરી હતી. શાળાઓને સદબુદ્ધી આપો કે શાળાઓ વિદ્યાનો સાગર છે કોઇ ધંધો નથી, તેઓને સદબુદ્ધી આપો વડોદરાના વાલીઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની ફી મુદ્દે આંદોલન ચલાવી રહ્યાં છે. આંદોલનકારી વાલીઓ વતી શૈશવ સ્કૂલના વાલી ભાવિક દવેએ રણછોડજીને પત્ર લખ્યો છે. આ એ જ વાલી છે જેમના વિરુદ્ધમાં શૈશવ સ્કૂલના સ્ટાફ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પત્રમાં તેમને લખ્યું છે કે, ગત મહિને શૈશવ સ્કૂલ ખાતે હું અને મારા સાથી વાલીઓ ફી વધારાના સંદર્ભે આવેદન આપવા ગયા હતાં, જે આવેદન સ્વિકાર્યું ન હતું. તદુપરાંત મારી ઉપર મારામારીની ખોટી ફરીયાદ કરેલી છે. તો અમારી અરજ છે કે સત્યનો સાથ આપી બધા વાલીઓની તરફેણમાં મદદ કરો.બધી શાળાઓ જે અંધાધૂંધ ફી લે છે તો તેઓને સજબુદ્ધી આપો કે શાળાએ વિદ્યાનો સાગર છે. કોઇ ધંધો નથી.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments