Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદમાવત ગુજરાતમાં રિલિઝ ના થાય તેવું સરકાર ઈચ્છી રહી છે.

પદમાવત ગુજરાતમાં રિલિઝ ના થાય તેવું સરકાર ઈચ્છી રહી છે.
Webdunia
બુધવાર, 24 જાન્યુઆરી 2018 (12:16 IST)
સમગ્ર દેશમાં વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ 'પદ્માવત' ગુજરાતનાં થિયેટરોમાં રીલિઝ જ ન થાય તેવું સરકાર ઈચ્છી રહી છે. જેના માટે ફિલ્મનાં ડાયરેકટર પર પણ સરકાર દ્વારા તમામ પ્રકારનાં દબાણો અને સમજાવટો થઇ રહી છે. જેને લઇને હવે ૨૫મી ફેબુ્રઆરીએ ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થશે કે કેમ તેના પર સૌકોઇની નજર મંડાયેલી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત સરકારે 'પદ્માવત' ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ફિલ્મ જોયા વગર જ એવી જાહેરાત કરી હતી કે, રાજપૂત સમાજની લાગણી દુભાતી હોવાથી આ ફિલ્મની રીલિઝ થવાની મંજૂરી અપાશે નહીં. ત્યારબાદ નામ બદલીને 'પદ્માવત' કરાયું હતું. એટલું જ નહીં સેન્સર બોર્ડે તેને મંજૂરી આપતા પહેલા કેટલાક ઈતિહાસકારોને પણ આ ફિલ્મ બતાવી હતી. સર્વોચ્ચ અદાલતે પણ ફિલ્મનાં રીલિઝ પર સ્ટે આપાવનો ઈનકાર કરી દીધો છે. આમ છતાં ગુજરાત સરકારે ફિલ્મ પર બીજી વખત પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમનાં આદેશ બાદ પણ ગુજરાત સરકાર આ આદેશમાં એટલે કે કામચલાઉ સ્ટે ઓર્ડરમાં કેટલાક સુધારાવધારા થાય તે માટે કાયદા નિષ્ણાતોની સલાહ લઇ રહ્યા છે. ફિલ્મને રીલિઝ આડે હવે માંડ બે દિવસ બચ્યા છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક શહેરોમાં તોડફોડ અને હિંસાખોરી શરૃ થઇ છે. સ્થિતિ વધુ કફોડી બને તો સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે. આગામી બજેટ સત્રમાં વિરોધ પક્ષ પણ આ મુદ્દે ગૃહમાં સરકારને મુશ્કેલીમાં લઈ ભીંસમાં મુકી શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે સરકાર ઇચ્છી રહી છે કે આ ફિલ્મ ગુજરાતમાં રીલિઝ ન થાય તો સારું. તેના માટે સરકારે ફિલ્મનાં ડાયરેકટર ઉપર વિવિધ પ્રકારનું દબાણ કર્યું છે. ડાયરેકટર આ દબાણને વશ થઇને પોતે જાતે જ ગુજરાતમાં આ ફિલ્મ રિલિઝ નહીં કરવાની જાહેરાત કરી દે તો કોઇને નવાઇ લાગશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments