Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબીના હળવદ નજીકથી 200થી વધુ ચકલીઓ મૃત હાલતમાં મળી આવી

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:29 IST)
મોરબીના હળવદ નજીક આવેલા માલણિયાદ ગામમાં  200 ચકલીઓ શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવી છે. નિષ્ણાંતો અને ડોક્ટર્સે લગભગ 52 ચકલીઓને બચાવી લીધી છે અને તેમનું માનવું છે કે ચકલીઓએ જે અનાજ ખાધું હશે તેમાં કોઈ ઝેરી પદાર્થની ભેળસેળ થઈ ગઈ હશે.એક સ્થાનિક બર્ડ હેલ્પલાઈન સાથે જોડાયેલા વેટરિનરી ડોક્ટર નિતેશ નાઈકપારા જણાવે છે કે, શનિવારના રોજ ગામના ખેતરોમાંથી લગભગ 148 ચકલીઓ મૃત અવસ્થામાં મળી, જ્યારે 27 ચકલીઓ બીમાર હતી જેમની સારવાર કરવામાં આવી. રવિવારના રોજ પણ લગભગ 50 ચકલીઓ મૃત અવસ્થામાં મળી હતી અને 25ને સારવાર કરીને બચાવી લેવામાં આવી છે.આ બાબતે જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને બચાવી લેવામાં આવેલી ચકલીઓને તેમને સોંપવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે કે તેમણે ઝેરી ખોરાક ખાઈ લીધો હશે. અહીં ચકલીઓને તેમના લાયક ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહેવાને કારણે અહીં પહેલાથી મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. અહીં તેમને અનુકૂળ વાતાવરણ પણ મળી રહે છે. 

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments