Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર બન્યા બાદ હવે ભાજપમાં નેતાગીરી બદલાય તેવી શક્યતાઓ

સરકાર બન્યા બાદ હવે ભાજપમાં નેતાગીરી બદલાય તેવી શક્યતાઓ
Webdunia
સોમવાર, 1 જાન્યુઆરી 2018 (17:22 IST)
ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી અટકળ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી હોવાથી હવે મહત્વના પદ પર  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતથી કોઈ આક્રમક ચહેરો પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના આંતરિક સૂત્ર કહે છે કે, પ્રદેશ ભાજપના માળખાને હવે બદલવો પડે તેવી સ્થિતી નિર્માણ થઈ રહી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સૌરાષ્ટ્રમાંથી આવે તેમ છે. તેથી ત્રણ મહત્વના હોદ્દા સૌરાષ્ટ્રના જ રહે તેવું ન બને અને પ્રદેશની સમતુલા જળવાય તેવી નીતિ અપનાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવે છે. ઉત્તર ગુજરાતમાં ચૂંટણી હારી ગયેલાં શંકર ચૌધરીને મહત્વના હોદ્દા પર લઈ જવા અથવા તો બોર્ડ-નિગમમાં સ્થાન આપવાની વિચારણા કરવામાં આવી રહી છે.

તેઓ મહામંત્રી તરીકે પક્ષ પર અંકુશ ધરાવતાં હતા. ઉત્તર ગુજરાતે આ વખતે ભાજપનું નાક બચાવી લીધું છે. તેથી શંકર ચૌધરીને પ્રદેશ કક્ષાએ મહત્વના હોદ્દા માટે લાયક ઉમેદવાર માનવામાં આવે છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ વખતે સરકારમાં અને પક્ષમાં સારું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. તેથી પહેલો હક્ક વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદનો છે. આ વિસ્તારોથી પ્રદેશના માળખામાં નેતા હોવા જોઈએ એવી અગાઉ અનેક વખત માંગણી થઈ છે. જેમાં શંકર વેગડ કોળી પ્રભુત્વ ધરાવે છે. દેવુંસિંહ ચૌહાણ ખેડા વિસ્તારમાં ઓબીસી છે અને ઠાકોર સમાજનું પુરતું પ્રતિનિધિત્વ જોવા મળે તે હેતુથી તેમને પણ પ્રદેશ કક્ષાએ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાઈ આવી રહ્યું છે. જો કે પક્ષને આકર્ષણ પુરું પાડે એવા બે સાંસદના ચહેરા છે જેમાં પરસોત્તમ રૂપાલા અને પુનમ માડમ છે. પણ તેઓ સૌરાષ્ટ્રાના હોવાથી તેમની નિયુક્તિ સામે પ્રશ્નાર્થ ઊભા થઈ શકે તેમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments