Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઇફોઈડના દર્દીઓમાં વધારો

અમદાવાદ
Webdunia
ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:51 IST)
શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૩ દિવસમાં ઝાડા-ઊલટીના ૪૭૩ કેસો, કમળાના ૧૭૪ કેસો, ટાઇફોઈડના ૧૪૩ કેસો, સાદા મેલેરિયાના ૮૦ કેસો, ઝેરી મેલેરિયાના ૩૯ અને ડેન્ગ્યુના ૩૭ તથા ચિકન ગુનિયાના ત્રણ કેસો નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં શીતલહેર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં ઠંડી વધે તેવા સંજોગોમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હોય છે પણ અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાની બેદરકારીને લીધે શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.

શહેરમાં ૧થી ૨૩ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઝાડાઉલટીના ૪૭૩, કમળાના ૧૭૪ અને ટાઇફોઈડના ૧૪૩ કેસ નોંધાયા છે. જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા તો ત્રણગણી માનવામાં આવે છે. આ સમયગાળામાં સાદા મેલેરિયાના ૮૦, ઝેરી મેલેરિયાના ૩૯, ડેન્ગ્યુના ૩૭ અને ચીકનગુનિયાના ૩ કેસ હોસ્પિટલમાં દાખલ થયા છે. શહેરમાં છેલ્લા બે મહિનાથી પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. પહેલાં ઠંડી વધતાની સાથે પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હતો પણ હવે ઠંડી વધી રહી છે છતાં પણ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડાઉલટીના કેસો વધી રહ્યા છે. સૂત્રો એવું કહે છે કે, શહેરમાં મેટ્રો સહિત મોટા પ્રોજેક્ટોની કામગીરી ચાલી રહી છે જેથી છાશવાર પાણીની લાઈનોમાં ભંગાણ પડે છે જેથી પૂર્વ અને પશ્ર્ચિમના કેટલાક વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી છે જેથી પ્રદુષિત પાણીની સમસ્યાને લીધે શિયાળામાં પણ પાણીજન્ય રોગચાળો દેખાઈ રહ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments