Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયામાં પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો જ ભાજપને હરાવશે જેવા મેસેજ વાયરલ

સોશિયલ મીડિયા
Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (12:41 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેક્ટર નડી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ પી એટલે પટેલો, ટી એટલે ઠાકોરો, ડી એટલે દલિતો અને આર એટલે રાજપૂતો આમ પાટીદારો (પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો) જ ભાજપને હરાવશે. એવા મેસેજો વાઇરલ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અનામતના મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.

ભાજપ સરકારે પાટીદાર સમાજની મોટા ભાગની માગણી સ્વીકારી એટલે કે પાટીદાર સમાજના જે પાંચ પ્રશ્ર્નો હતા જેમાં ચાર પ્રશ્ર્નોમાં સમાધાનના પ્રયાસો કરાયા પણ પાસના ક્ધવીનર હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા. હજુ પણ પાટીદારો ભાજપથી નારાજ છે, કારણ કે હાર્દિક પટેલની સભામાં જે જનમેદની ઊમટી રહી છે તે જોતા પાટીદારો ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પાડી દેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ઠાકોર સમાજ પણ અલ્પેશ ઠાકોરને લીધે ભાજપ વિરોધમાં મતદાન કરવાના મુડમાં હોય એવું લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોરની ગાંધીનગર ખાતે મળેલી જનસભામાં ઠાકોર સમાજની વિશાળ જનમેદની ઊમટી પડી હતી. આ ઉપરાંત દલિતો પણ ભાજપથી નારાજ છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ ભાજપની વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે. તેમ જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના રાજીનામાની માગણી સાથે રાજપૂત સમાજ પણ ભાજપ સામે પડ્યો છે. રવિવારે બાવળા નજીક રાજપૂતોની વિશાળ સભામાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો રણટંકાર કરવામાં આવ્યો હતો. આમ પટેલો - ઠાકારો - દલિતો અને રાજપૂતો ભાજપની વિરોધમાં જતા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો થઈ રહી છે કે ‘પા એટલે પટેલો, ટી એટલે ઠાકોરો, ડી એટલે દલિતો અને આર એટલે રાજપૂતો’ એમ પાટીદારનું સમન્વય જ ભાજપને ભારે પડશે તેમ લાગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments