Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિષ્ક્રિય રહેલા સંગઠનથી અમિત શાહે હોદ્દેદારો પર રોષ ઠાલવ્યો

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (12:50 IST)
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને નાણાંમંત્રી અરૃણ જેટલી વચ્ચે રવિવારે મોડી સાંજે કમલમમાં બેઠક થઇ હતી. કોર ટીમ સાથે થયેલી આ બેઠકમાં સંગઠનની નિષ્ક્રિયતા સામે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, બેઠકમાં હાજર હોદ્દેદારોને ખખડાવ્યાં હતાં. આનંદીબેન- અમિત શાહ જૂથ સામસામે હોઇ સંગઠનમાં કાર્યકરો કામ કરવા જ તૈયાર નથી. સૂત્રોના મતે,વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે બેઠકોનો ધમધમાટ શરૃ કર્યો છે. આજે મોડી સાંજે કમલમમાં અમિત શાહ-અરૃણ જેટલીએ કોર ટીમ સાથે બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને પાટીદારોની નારાજગી, સરકાર વિરૃધ્ધ લોકોનો રોષ(એન્ટીઇન્કમ્બન્સી),જીએસટી,નોટબંધી,મંદીના માહોલથી વેપારી-ઉદ્યોગકારોની કફોડી દશા. આ બધાય ફેક્ટર ભાજપને આ વખતે નડી શકે છે. ૨૨ વર્ષના શાસન બાદ લોકો હજુય ભાજપ તરફી કેવી રીતે આકર્ષાય તે માટે બેઠકમાં મહામંથન કરાયુ હતુ. કોરટીમે પ્રેઝન્ટેશન કરી ચૂંટણી રણનિતીનો અંદાજ આપ્યો હતો. બેઠકમાં સંગઠન ઉપરાંત સોશિયલ મિડીયાની ટીમની નિષ્ક્રીય કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરીને અમિત શાહે હોદ્દેદારોને ઠપકો આપ્યો હતો. આનંદીબેન પટેલ સાથેની જૂથબંધીને પગલે ભાજપમાં બે ઉભા ભાગલાં પડયાં છે પરિણામે સંગઠન અત્યારે જાણે સુશુપ્ત અવસ્થામાં હોય તે લાગી રહ્યુ છે.સંગઠનના કાર્યકરોને વધુ સક્રિય બનાવવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત નવા ચૂંટણીલક્ષી સૂત્રો સાથે લોકોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવાના આયોજન બેઠકમાં રજૂ કરાયા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments