Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે રીતે બાપાને AMCએ આપી વરવી વિદાય

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (14:06 IST)
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકોએ ઢોલ-નાગારા સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.  બીજા દિવસે બુધવારે સવારે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્લુડોઝરમાં મૂર્તિઓ ઉપાડી ડમ્પરમાં નાંખવામાં આવી રહી હતી. તમારા ઘરના ગણેશજીને AMCએ આવી વરવી વિદાય આપી હતી. દસ દિવસ સુધી વિઘ્નહર્તાની સ્થાપના-પૂજા-અર્ચના કર્યા બાદ મંગળવારે અનંત ચૌદશના દિવસે અમદાવાદીઓએ બાપ્પા મોરયાને વિદાય આપી હતી.

શહેરભરના ભાવિકોએ પોતપોતાના ઘરોમાં અને સાર્વજનિક રીતે ગણપતિ દાદાનું સ્થાપન કર્યુ હતું. ચૌદસે શુભમુહૂર્તમાં દાદાનું રંગેચંગે નાચતા ગાચતા ભાવિકોએ નદીમાં વિસર્જન કર્યું છે. મંગળવારે ભદ્રા દોષ લાગતો હોવાથી મોટાભાગના લોકોએ બપોર પહેલા વિસર્જન કર્યુ હતું. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પવિત્ર વિસર્જન કુંડના સર્જન કરવામાં આવ્યા હતા. આ પવિત્ર વિસર્જન કુંડમાંથી ગણેશજીની મૂર્તિઓને જેસીબીથી નિકાલ કરવામાં આવ્યો હતો. નિકાલ કરવાના દ્રશ્યો જોઈને ગણેશ ભક્તો ફરી ક્યારેય આવી જગ્યાએ વિસર્જન કરવાનું નહીં વિચારે. કેટલી દુઃખદ વાત છે કે જેને ભગવાન માનીને મૂર્તિકાર અપાયા બાદ વિસર્જન કર્યા બાદ ખંડિત મૂર્તિઓને લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે રીતે કુંડોમાંથી ખસેડવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments