Webdunia - Bharat's app for daily news and videos

Install App

કનૈયાની તરફદારી કરતા જિજ્ઞેશને દલિતો ઓળખી લે: કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:26 IST)
ગાંધીનગર દલિતો પર થયેલા અત્યાચાર અંતર્ગત ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી આઝાદી યાત્રાનું આયોજન કરનારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક જિજ્ઞેશ મેવાણીની કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે આકરી ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાની ત્રાસવાદીઓની તરફદારી કરનારા કનૈયાકુમારને ગુજરાતમાં લઈને ફરતા જિજ્ઞેશ મેવાણીને ગુજરાતની પ્રજા તેમજ દલિતોએ ઓળખી લેવાની જરૂર છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું કે, મેવાણીએ અમરનાથ યાત્રાના શહીદોનું-રાષ્ટ્રનું તેમજ ગુજરાતનું અપમાન કર્યું છે. તે બદલ મેવાણીએ માફી માંગવી જોઈએ. કારણકે જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારે ત્રાસવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વોની તરફદારી કરી છે. તેણે અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ આપતા નારાઓ લગાવ્યા હતા. આવા વ્યક્તિને દલિત સંમેલનના નામે ગુજરાતમાં બોલાવીને મેવાણીએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કરવાની વરવી રાજનીતિ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસના હાથા બનીને, દલિતોના ખભે બંદૂક મૂકીને ફોડવાની ગંદી રાજનીતિ કરનારા કનૈયાકુમાર અને મેવાણીને દલિતો જાકારો આપશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments