Webdunia - Bharat's app for daily news and videos

Install App

લખપતના હરોડામાં વીજળી પડતા ૯૩ પશુઓના મોત થયાં

Webdunia
મંગળવાર, 27 જૂન 2017 (17:00 IST)
લખપત તાલુકાના અંતરીયાળ ગામ એવા હરોડામા મંગળવારે વહેલી પરોઢે વીજળી પડવાના કારણે ૬૯ ઘેટા અને ર૪ બકરાના મોત થયા હતા.  વીજળીના કારણે ગભરાઈ ગયેલા માલધારીને પણ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.  નિત્યક્રમ મુજબ અકીમ હમીરઅલી મંધરા રાબેતા મુજબ તેનુ ઘેટા બકરાનું પશુધન લઈ ચરિયાણ અર્થે ગયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે અચાનક જ વીજળી પડતા સ્થળ પર જ ૯૩ ઘેટા બકરાના મોત થયા હતા. 

માલધારી પરિવારને અંદાજીત ૬ લાખ રૃપિયાનું નુકશાન થયું છે.  ઘટનાના પગલે તાલુકા પશુતબીબ વી.બી.બારોટ અને તલાટી હસનભાઈ લંઘા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યા જ મૃત પશુઓમાંથી અમુકનું પીએમ કરવામાં આવ્યું હતું. વીજળી ત્રાટકવાના કારણે બળી જવાથી તેમના મોત થયાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પશુપાલન આજીવીકા પર નિર્ભર માલધારીને રૃ. પ.પ૮ લાખનું નુકશાન ગયું છે. સરકારી નિયમ પ્રમાણે વીજળી પડવાથી નાના પશુનું મોત થાય તો ઘેટા બકરા દીઠ રૃ. ૩ હજારનો વળતર ચુકવવામાં આવે છે જે રૃ. ર.૭૯ લાખનું વળતર ચુકવવા પાત્ર છે જોકે બજારમાં નાના પશુનો ભાવ છએક હજાર જેટલો છે આમ તેને પ૦ ટકા રકમ વળતર રૃપે મળશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments