Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાજ ખેડૂતો કૃષિમેળામાં નહીં ફરકતાં ભાજપ સરકાર અત્યંત ચિંતિત

Webdunia
સોમવાર, 15 મે 2017 (13:03 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ કૃષિમેળા સાવ નિરસ રહ્યાં છે. સરકારથી નારાજ ખેડૂતો કૃષિમેળામાં ફરકતાં જ નથી પરિણામે ભાજપ સરકાર ચિતિંત બની છે. સતત બીજા વર્ષે કૃષિ મેળાને પ્રતિસાદ સાંપડયો નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કૃષિમેળાનો વિરોધ થઇ રહ્યો છે. ગત વખતે તો અનામત આંદોલનને કારણે પાટીદારોએ વિરોધ કર્યો હતો. આ વખતે ખેડૂતો સરકારથી ભારોભાર નારાજ છે પરિણામે કૃષિમેળામાં મંડપ સુના પડયાં છે. ખુરશીઓ ખાલીખમ રહે છે. હિંમતનગરમાં કૃષિમંત્રી ચિમન સાપરિયાની કારને લોકોએ ઘેરો ઘાલ્યો હતો .

એટલું જ નહીં, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કહેવુ પડયું હતું કે, સરકારે ઘણાં કામો કર્યાં છે, તાળીઓ તો પાડો. આમ છતાંયે લોકોએ તાળીઓ પાડી ન હતી . અમરેલીમાં પણ કૃષિમેળાનો વિરોધ થયો હતો. પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. વિજળીથી માંડીને અનેક પ્રશ્નોથી પિડિત ખેડૂતો હવે સરકારથી મોં ફેરવીને બેઠાં છે. કિસાન સંઘ પણ સરકારને સાથ આપવા રાજી નથી જેથી કૃષિ મેળાનો ફિયાસ્કો થયો છે. કૃષિમેળાને સફળ બનાવવા મંત્રી-ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી હોવા છતાંયે આ સરકારી કાર્યક્રમ સદંતર ફ્લોપ રહ્યો છે. મતદારો મંત્રી-ધારાસભ્યને કહેણને પણ અવગણી રહ્યાં છે. આમ, ભાજપની ચિંતામાં વધારો થયો છે એટલે અંદરખાને ખેડૂત આગેવાનોને મનાવવા પણ પ્રયાસો થઇ રહ્યાં છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments