Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદા જિલ્લાના ૨૨૬ ગામોમાં મોબાઇલ નેટવર્કનો ગંભીર પ્રશ્ન, જંગલ વિસ્તારના ૪૦ ગામો આજે પણ સંપર્ક વિહોણા

Webdunia
ગુરુવાર, 11 મે 2017 (16:35 IST)
આજકાલ કોમ્પયુટર અને ડીજીટલ યુગ ચાલી રહયો છે અને કેન્દ્ સરકાર દેશને કોમ્પયુટર અને ડીજીટલ યુગમા લઇ જવા ઈચ્છે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોની તાસીર જ કઇક અલગ છે, ખાસ કરીને ૮૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જ્લ્લિાના ઉંડાણના અને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમા મોબાઇલ ટાવરો પહોંચી શક્યા નથી જેને કારણે ગામડાઓમા આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ગામોમા ટેલીફોન લાઇન કે ઇન્ટરનેટ કે મોબાઇલ કનેકટીવીટી ન હોવાને કારણે ટેલીફોનના ડબલા અને મોબાઇલ ફોન શોભાના ગાંઠીયા બની ગયા છે.
 
આજે પણ નર્મદાના ૨૨૬ ગામો ટેલીફોન, મોબાઇલ કનેકટીવીટીનો ગંભીર પ્રશ્ન છે. ખાસ કરીને ચોમાસામા મોટાભાગના ગામો ટાવર અને કનેક્ટીવીટી ન હોવાને કારણે સંપર્ક વિહોણા બની જાય છે. નર્મદા આદિવાસી ઉંડાણના અંતરીયાળ પહાડી અને જંગલ વિસ્તારના ૪૦ ગામો આજે પણ સંપક્ર્ વિહોણા છે, જે ૪૦ ગામોમા કનેકટીવીટી નથી તેવા ગામોની યાદી ભારત સરકારમા સુપ્રત કરવામા આવી છે,જેમા નાંદોદ તાલુકાનુ એક ગામ. દેડીયાપાડા તાલુકાના ૨૨ ગામો, અને સાગબારા તાલુકાના ૧૭ ગામો મળી કુલ ૪૦ ગામોમા મોબાઇલ ટાવર ન હોવાથી આ ગામો સંપર્ક વીહોણા આજે પણ છે.
 
આ અંગે નર્મદા વહીવટી તંત્ર ચિંતિત બન્યુ છે, નવા કલેકટર આર એસ નીનામાએ આ અંગે જણાવ્યુ હતુ કે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી નો પ્રોજેક્ટ ચાલી રહયો છે ત્યારે લાખો પ્રવાસીઓ અહી મૂલાકાતે આવે તે સમયે મોબાઇલ ટાવરો અને કનેકટીવી મળવી જોઇએ, અમે નર્મદામા કનેકટીવીટી વગરના ગામની માહીતી ભેગી કરી તેને કનેકટીવીટી મળે તેવા પ્રયાસો ચાલુ કર્યા છે. કલેકટર નીનામા ના જણાવ્યા અનુસાર નર્મદાના ૨૨૬ ગામો ટેલીફોન, મોબાઇલ કનેકટીવીટી વિહોણા છે. ભારત સરકારમા કનેકશન વગરના ગામોને યાદી આપવામા આવી છે. ૨૨૬ પૈકી ૮૧ ગામોનો રીસર્વે કરાયો છે,તે પૈકીના ૪૦ ગામોમા આજે પણ કનેકટીવીટી નથી. બાકીના ૪૧ ગામોમા માત્ર પાંચ ગામ સિવાય ત્યા બીએસએનએલ ટાવર નથી પણ અન્ય એક કંપનીના ટાવર છે.
આ અંગે નિવાસી કલેકટર બારીયાએ જણાવ્યુ હતુ કે, આ અંગે અંતરીયાળ ગામોમા કનેકટીવીટી માટે કવાયત શરુ કરી છે, ભરુચ નર્મદાના ટેલીફોન અધીકારીઓની તાકીદની બેઠક બોલાવી તેમની પાસેથી માહીતી મેળવી કલેકટરે આ અંગે ઘટતુ કરવા અધિકારીઓને સૂચના આપી છે. હાલ ગરુડેશ્વર ખાતે બીએસએનએલ ટાવર માટે મંજૂરી મળી ગઇ છે. બીજો શુલપાણેશ્વર સેન્ચૂરી એરીયામા પણ ટાવર લગાડવા માટેની કામગીરી ચાલી રહી છે. નર્મદાના લાખો આદિવાસીઓની કૂળદેવી ગણાતા પાંડોરી માતાના યાત્રાધામ ગણાતા દેવમોગરામાં પણ કનેકટીવીટી નથી. અહી વરસે દહાડે લાખો શ્રધ્ધાળુઓ આવે છે, ખાસ કરીને શિવરાત્રીએ ત્રણ રાજ્યોના ૩ થી ૪ લાખ શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ મેળામા ઉમટે છે ત્યારે આટલા મોટા યાત્રાધામમાં મોબાઇલ ટાવર ન હોવાથી અહી તાત્કાલીક ધોરણે મોબાઇલ ટાવર મુકવાની જરુરીયાત પર ભાર મૂકાયો છે.અહી યાત્રાળુઓ માટે મોબાઇલ કનેકટીવીટી સાથે વાઇફાઇની સુવિધાની યાત્રાળુઓ માંગ કરી રહયા છે.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments