Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિકાસે ગાંધીને પણ ના છોડ્યા! ઈન્કમટેક્ષ ફ્લાયઓવર પરથી વરસાદી પાણી ગાંધીજીની પ્રતિમા પર પડ્યું

Webdunia
મંગળવાર, 23 જુલાઈ 2019 (12:52 IST)
અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા ઇન્કમટેક્સ જંકશન પર તૈયાર કરાયેલા ફલાયઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ ઉપરાંત બ્રિજની નીચેની દીવાલો પર ગાંધીજીના ચિત્રો દોરેલા છૅ.ઇન્કમટેક્ષ સર્કલ પર જ્યાં બ્રીજ બનાવવામા આવ્યો છે ત્યાં વર્ષોથી ગાંધીજીની પ્રતિમા છે. આ પ્રતિમા અનેક વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમોની સાક્ષી રહી છે આ પ્રતિમાને અહીથી ગાંધી આશ્રમ કે અન્ય જગ્યાએ ખસેડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ વિવાદનો વંટોળ સર્જાવાની શક્યતાને જોતા તેમ કરવામા આવ્યુ નથી.58કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદઘાટન થયું હતું. આ બ્રિજની બનાવટમાં ખામીને કારણે સોમવારે સાંજે પડેલા વરસાદ પછી બે બ્રિજ વચ્ચેની ફાટમાંથી પાણીનો ધધૂડો સીધો ગાંધીજીની પ્રતિમાના માથા પર પડે છે. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે. આ પ્રતિમા ઈન્કમટેક્સથી ખસેડવા મુદ્દે અગાઉ લાંબો વિવાદ ચાલ્યો હતો. એક તબક્કે તો ગાંધી બાપુની પ્રતિમા વાડજ લઈ જવાની વિચારણા હાથ ધરાઈ હતી. અંતે પ્રતિમા ત્યાં જ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ પૂરતી દરકાર નહીં લેવાતા વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments