Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીએ ગુજરાતના કચ્છમાં ઘૂસી માછીમારો પર ફાયરિંગ કરી લૂંટ ચલાવી

ગુજરાત સમાચાર
Webdunia
ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (12:09 IST)
ગુજરાતમાં કચ્છ નજીક દરિયાઇ સહરદમાં ઘૂસી પાકિસ્તાને ભારતીય બોટ પર ગોળીબાર કર્યો છે. ગઇકાલે રાત્રે જખૌની પાસે આંતરરાષ્ટ્રીય જળ સરહદમાં હાજર ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટ પર ફાયરિંગ કરીને ભારતની બંને બોટમાં લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી બંને બોટમાંથી જીપીએસ સિસ્ટમ અને માછીમારી કરેલા માલની લૂંટ કરી છે. નફ્ફટ પાકિસ્તાન હવે પોતાનું પેટ ભરવા ભારતીય માછીમારોને લૂંટી લે છે. પાકિસ્તાનની આ નાપાક હરકત બાદથી આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. આવું કંઇ પહેલી વખત નથી બન્યું અગાઉ પણ પાકિસ્તાને ભારતીય ફિશિંગ બોટ પર ગોળીબાર કર્યો છે અને માછીમારોને હેરાન-પરેશાન કર્યા છે. ગઇ 30મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને કથિત રીતે પાક સરહદમાં ઘૂસી માછલી પકડવાના મામલામાં ઝડપી લીધા હતા. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીના કર્મચારીઓએ આ માછીમારોની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments