Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદાના પાણીમાં ઓક્સિજન ઓછો ને સલ્ફાઇડ કેમ વધ્યું, સરકારનું મૌન

Webdunia
શુક્રવાર, 17 મે 2019 (14:40 IST)
થોડાક સમય પહેલાં નર્મદા ડેમના પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી અને સલ્ફાઇડની માત્રા વધી હતી પરિણામે હજારો માછલાંઓના મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત લોકોને પીવાનુ પાણી ય આપવાનુ બંધ કરી દેવાયુ હતું.
પર્યાવરણવાદીઓએ નર્મદા નિગમ ઓથોરીટીને પત્ર લખી એવી રજૂઆત કરી છેકે, નર્મદાના પાણીની ગુણવત્તા ખરાબ થવા પાછળના કારણો અંગે કેમ મૌન દાખવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત હાલમાં ય નર્મદા ડેમના તળિયે જઇને પાણીના સેમ્પલ લઇ પાણીની ગુણવત્તાની ચકાસવામાં આવી રહી છે કે કેમ તે અંગે નર્મદા ઓથોરિટી ગુજરાતની જનતાને જણાવે તેવી માંગ કરવામાં આવી છે.
ફેબુ્રઆરીમાં નર્મદા ડેમનુ પાણી ડહોળુ બન્યુ હતું. એટલુ જ નહીં, પાણીની ગુણવત્તા એટલી હદે ખરાબ થઇ કે,ડેમના આસપાસના વિસ્તારોમાં ય પાણી આપવાનુ બંધ કરી દેવાયુ હતું. તે વખતે નર્મદા નિગમ ઓથોરિટી એ એવો ખુલાસો કર્યો હતોકે, ભૂંકપને કારણે આવુ થઇ શકે છે.
આ ઉપરાંત ડેમના તળિયે ગેસ નીકળતો હોવાની પણ પાણીની ગુણવત્તા બગડી શકે છે. આ બધાય કારણો જાણવા નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓસનોલોજીના નિષ્ણાતો ડેમના તળિયે જઇને પાણીના સેમ્પલ લેવાના હતાં તેનુ શું થયું તેવો પર્યાવરણવાદીઓએ સવાલ ઉઠાવ્યો છે.
ગુજરાતમાં હાલમાં પાણીના પોકારો ઉઠયાં છે. માત્ર નર્મદા ડેમના પાણી પર જ ગુજરાતની જનતાનો આધાર છે ત્યારે પાણીની ગુણવત્તા વિશે નર્મદા નિગમે રાજ્યની જનતાને વાસ્તિવકતાથી વાકેફ કરવી જોઇએ. નર્મદાના પાણીમાં અત્યારે સલ્ફાઇડ અને ઓક્સિજનનુ પ્રમાણ કેટલુ છે તે જણાવવુ જોઇએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

આગળનો લેખ
Show comments