Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં બળાત્કાર કેસમાં આસારામના પુત્ર નારાયણ સાંઈને કોર્ટમાં રજુ કરાયો

સુરત
Webdunia
ગુરુવાર, 26 એપ્રિલ 2018 (11:43 IST)
યૌન શોષણ કેસમાં આસારામને સજા થયા બાદ તેનો પુત્ર નારાયણ સાંઈને બળાત્કાર કેસમાં આજે (ગુરૂવાર) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરતની બે સાધિકા બહેનોએ આસારામના પુત્ર નારાયણ સાંઈ પર દુષ્કર્મનો કેસ કરેલો છે. આ કેસમાં નારાયણ સાંઈને કોર્ટમાં ગઈ કાલે રજૂ થવાનું હતું. પોલીસે સુરક્ષાનું કારણ આપી આજરોજ કોર્ટમાં રજૂ કરવા રજૂઆત કરી હતી. જે બાદ કોર્ટે પોલીસની અરજીનો સ્વિકાર કર્યો હતો. જેથી આજે રજૂ કરવામાં આવ્યો હતો.નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં આશરે 4 વર્ષથી બંધ છે.

નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. જોધપુર કોર્ટ દ્વારા આસારામને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવતા સુરતની બંને બહેનોને આશા અને વિશ્વાસ છે કે તેને પણ ન્યાય જરૂર મળશે. નારાયણ સાંઈને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન મીડિયા દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. જોકે, નારાયણ સાંઈ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલ સાધિકા રેપ કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ સુનાવમી લાંબી ચાલે તેવી સંભાવનાઓ રહેલી છે.નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે. ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બિમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને કમર, હાડકાંનો રોગ થયો છે. સાથે જ દાંતના અને જડબાને લગતાં રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે. જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ