Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાપતા થયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હજી પોલીસને હાથ લાગતાં નથી

Nalin kotadiya
Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (12:02 IST)
ગુજરાત પોલીસ કરોડોના બિટ કોઇન કેસના સુત્રધાર નલિન કોટડિયાને શોધી શકી નથી. રાજકીય નેતાઓની જ્યારે પણ કરોડોના કૌભાડમાં સંડોવણી આવે છે ત્યારે પોલીસ પણ આંખ આડા કાન કરતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોટડિયા સામે એક મહિના અગાઉ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી ત્યારે હવે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભારત ભરમાં નલિન કોટડિયાના ફોટા સાથેના પોસ્ટરો લગાડવાની કાર્યવાહી કરવામાં આવશે. કરોડોના બિટ કોઇન પ્રકરણમાં નલિન કોટડિયાની સંડોવણી બહાર આવી ત્યારે ખૂદ કોટડિયાએ વિડિયો વાઇરલ કરીને કહ્યું હતું. કે હું ક્યાંઇ છૂપાયો નથી. પોલીસ પણ બોલાવશે ત્યારે હું સામેથી હાજર થઇશ. આ પ્રમાણેના દાવા કરનાર નલિન કોટડિયાને પોલીસે અવાર નવાર સમન્સ પાઠવ્યા ત્યારે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ટીમ અવાર નવાર તેમના નિવાસ સ્થાને ધક્કા ખાઇ ચૂકી છે. કોટડિયા પણ પોલીસ સમક્ષ હાજર થયા નહી હોવાથી આખરે સીઆઇડી ક્રાઇમે તેઓ વિદેશ ભાગી ના જાય તે માટે તેમની સામે લુક આઉટ નોટિસ પાઠવી હતી. આજે એક મહિના બાદ પણ કોટડિયાને ગુજરાત પોલીસ શોધી શકી નથી ત્યારે હવે તેઓના ૫૦૦થી વધુ ફોટા સાથેના પોસ્ટરો પોલીસે તૈયાર કર્યા છે અને કોર્ટની પરમીશન મેળવ્યા બાદ આ પોસ્ટરો ભારત ભરમાં જાહેર સ્થળોએ લગાડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બિટ કોઇન કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમે કિરીટ પાલડીયાની પૂછપરછ કરી હતી જેમાં પાલડીયાએ નલીન કોટડિયાને ૬૬ લાખ રૃપિયા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, બીજીતરફ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ પણ સીઆઇડી ક્રાઇમમાં લોકો સામેના પુરાવા રજૂ કરી રહ્યા હતા. પરંતુ આ પ્રકરણમાં આરોપી તરીકે જાહેર થતાં તેઓ પણ પોલીસને થાપ આપીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીટ કોઇનની તપાસ તેજ થઇ રહી હતી, પરંતુ આ કેસના મુખ્ય સુત્રધાર એવા કોટડિયા અને શૈલેષ ભટ્ટ પોલીસને હાથ તાળીને આપીને ભાગી જતાં હવે પોલીસ તપાસ પણ દિશા વિહિન બની ગઇ છે. નલીન કોટડિયા અને શૈલેશ ભટ્ટની ધરપકડ કરવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમો પણ કામે લગાડવામાં આવી છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ કોટડિયા મોબાઇલનો ઉપયોગ કરતા નહી હોવાથી તેઓનું લોકેશન મળતું નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments