Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ, દુનિયામાં તેમનો 11મો નંબર

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (17:01 IST)
છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનું વાતાવરણ છે, જેના કારણે રિલાયન્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે મુકેશ અંબાણીની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને આજે એટલે કે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણીએ કમાણીના મામલામાં તેમને પાછળ છોડી દીધા છે. આ રીતે અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રીઅલ-ટાઇમ નેટ વર્થ ડેટા અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ 90 અરબ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 89.8 અરબ ડોલર (રૂ. 6.71 લાખ કરોડ) છે. આ ડેટા અનુસાર કમાણીની દૃષ્ટિએ અદાણી વિશ્વમાં 11મા ક્રમે છે.
 
બે દિવસમાં રિલાયન્સના શેર 155 રૂપિયા તૂટ્યો 
 
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના આંકડા પર નજર નાખીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસમાં 155 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ  રિલાયન્સના શેર 2.29% ઘટીને રૂ. 2323.05 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સના શેરમાં રૂ. 200નો ઘટાડો થયો છે. ફોર્બ્સના ડેટા અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિમાં બે દિવસમાં 7 અબજ ડોલર (રૂ. 52,000 કરોડ)નો ઘટાડો થયો છે.
 
અદાણીની સંપત્તિમાં દરરોજ રૂ. 6000 કરોડનો વધારો 
 
ફોર્બ્સના રીઅલ-ટાઇમ ડેટા અનુસાર, 31 ડિસેમ્બરના રોજ ગૌતમ અદાણીની નેટવર્થ 78 અરબ ડોલર (રૂ. 5.82 લાખ કરોડ) હતી, જે 18 જાન્યુઆરી, 2022ના રોજ વધીને 93 અરબ ડોલર (રૂ. 6.95 લાખ કરોડ) થઈ હતી. આ સમયે એટલે કે 25 જાન્યુઆરીએ અદાણીની નેટવર્થ 90 અરબ ડોલર (રૂ. 6.72 લાખ કરોડ) થઈ ગઈ છે. તે મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ નવા વર્ષમાં દૈનિક રૂ. 6,000 કરોડથી વધુની કમાણી કરી રહી છે.
 
અદાણીના સ્ટોક્સમાં સતત વધારો 
 
અદાણી ગ્રુપની 6 કંપનીઓ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ આ તમામ કંપનીઓને 5% થી 45% સુધીનું વળતર મળ્યું હતું. ખાસ કરીને ગ્રુપની એનર્જી કંપનીઓને સૌથી વધુ ફાયદો થયો છે. આમાં પણ અદાણી ગ્રીન એનર્જીએ 45% થી વધુ વૃદ્ધિ નોંધાવી છે. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરના રોકાણકારોને પણ ઓછા સમયમાં વધુ વળતર મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments