Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો શું ગુજરાત સરકારે લોકોને MOU બાબતે પ્રજાને મુર્ખ બનાવી?

Webdunia
સોમવાર, 13 જાન્યુઆરી 2020 (13:29 IST)
ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદના તાયફામાં કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સના એમઓયુ કરી પ્રજાને રીતસર ભ્રમિત કરે છે. નાગરિક ઉડ્ડયન વિભાગનો દાખલો જોવા જેવો છે. આ ક્ષેત્રે ૨૦૦૭થી માંડીને ૨૦૧૯ સુધીની ૭ પરિષદોમાં કુલ ૮૪ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ થયા, જે પૈકી ૫૬ ટકા યાને ૪૭ એમઓયુ રદ થઈ ગયા છે, છેલ્લી ૨ પરિષદોમાં થયેલા એમઓયુના રોકાણના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા નથી, બાકીની ૫ પરિષદોમાં રૂ. ૪૨,૭૧૪ કરોડનાં રોકાણ માટે એમઓયુ થયેલાં હોવાનું રાજ્ય સરકારે બતાવ્યું છે. કુલ ૮૪ એમઓયુ પૈકી માત્ર ૧ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હોવાનું જાહેર થયું છે, પણ એ પ્રોજેક્ટ કયો તે વિશે વિગતો અપાઈ નથી. વર્ષ ૨૦૦૯, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા બધાં જ એમઓયુ ફોક થયા છે. રસપ્રદ એ છે કે, જે ૩૬ પ્રોજેક્ટ્સ પ્રારંભિક કે પ્રાથમિક તબક્કામાં હોવાનું જાહેર થયું છે તે પૈકી ૫૦ ટકા એમઓયુ તો ૨૦૧૯ના છે, એટલે સ્વાભાવિક રીતે એ પણ એકાદ-બે વર્ષ બાદ રદ બતાવવામાં આવશે. વાસ્તવિકતા એ છે કે, સરકારનાં દબાણથી અને સરકારને ખુશ કરવા અધિકારીઓ મોટી રકમના નવા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ બતાવે છે, જેનો પાયો જ જૂઠાણાં ઉપર રચાયેલો હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments