Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીના ગુજરાત પ્રવાસને પગલે 3500 જવાનોનો લોખંડી બંદોબસ્ત

Webdunia
ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (14:00 IST)
વડા પ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસને આજથી જ ખડેપગે તહેનાત કરી દેવામાં આવી હતી જેમાં રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા સહિત 20 જેટલા આરપીએસ અધિકારીઓ, એટીએસ, ક્રાઈમબ્રાંચ, ડોગ સ્કવોર્ડ સહિત 3500 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમની સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા હતા એવું ગાંધીનગર પોલીસ ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષાને લઈને પોલીસને તેમના પસાર થવાના માર્ગ પર ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એરપોર્ટ, વી.એસ હૉસ્પિટલ તેમજ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો શાંતિપૂર્વક થાય તે માટે પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવાના આદેશો ડીજી ઑફિસથી કરવામાં આવ્યા છે. વી.એસ હૉસ્પિટલમાં ઉદ્ઘાટન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત 10 આઈપીએસ અધિકારીઓ ઉપરાંત ડીજીપી ઑફિસ દ્વારા પણ બીજા 10 આઈપીએસ અધિકારીઓ સહિત 20 અધિકારીઓ તેમજ 30 ડીવાયએસપી, 50 પીઆઈ, 80 પીએસઆઈ અને પાંચ એસઆરપીની ટુકડીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સહિત વિદેશી મહેમાનો પણ આવતા હોવાથી રાજ્ય પોલીસ વડાએ તેમની સુરક્ષામાં કચાશ રહી ન જાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments