Webdunia - Bharat's app for daily news and videos

Install App

થરાદમાં સામૂહિક આપઘાતનો બનાવ, મહિલાએ ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણના મોત

Webdunia
શનિવાર, 17 જુલાઈ 2021 (15:49 IST)
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલ હવે મોતની કેનાલ બની રહી છે. વારંવાર લોકો અગમ્ય કારણોસર કેનાલમાં પડી આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે એક મહિલાએ તેનાં ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેમાં બે બાળક અને માતાનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે. આ આશીર્વાદરૂપ કેનાલ અહીંના લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં આજે ચોથાનેસડા ગામની મહિલાએ અગમ્ય કારણોસર ચાર બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ પોતાનાં ચાર બાળકો સાથે ઝંપલાવતાં આજુબાજુના લોકો તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ધોરણે કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરતાં બે બાળકોને આબાદ બચાવ થયો છે, જ્યારે માતા અને બે બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિક લોકો તેમજ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરતા અનેક લોકોને બચાવનાર તરવૈયા સુલતાન મીરે દ્વારા આ સમગ્ર બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં બે બાળકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે માતા તેમજ અન્ય બાળકોનાં મોત થયાં છે. તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments