Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલા સેવા સંઘના સ્થાપક ઈલા ભટ્ટનું અવસાન, લાખોના જીવનમાં આશાની જ્યોત જગાવનારો જીવનદીપ બુઝાયો

Webdunia
બુધવાર, 2 નવેમ્બર 2022 (18:22 IST)
સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઈલા ભટ્ટનું અવસાન થયું છે. આ સાથે જ લાખો મહિલાઓને સ્વાશ્રયી બનાવી તેમના જીવનમાં આશા અને ઉન્નતીની જ્યોત જગાવનારો જીવનદીપ બુઝાઈ ગયો છે. સ્વ. ઈલા ભટ્ટના નાના અમદાવાદના જાણીતા સર્જન હતા અને સરકારી હોસ્પિટલમાં લોકોની સેવા કરતા હતા. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે નોકરી છોડી દીધી હતી. તેમના ત્રણેય મામા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. સ્વ. ઈલા ભટ્ટના આખા પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો. આવતીકાલે સવારે વીએસ સ્મશાનગૃહ ખાતે સ્વ. ઈલા ભટ્ટના અંતિમસંસ્કાર થશે.
 
અંતિમ સમય સુધી શ્રમજીવી બહેનોની ચિંતા
ઇલા ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે, તેમને અંતિમ સમય સુધી તેમની શ્રમજીવી બહેનો અને લોકોની ચિંતા હતી. બેરોજગારી અંગે પણ તેઓ છેલ્લી ઘડી સુધી ચિંતા કરી હતી. તેમને એક બે નહીં પરંતુ 20 લાખ બહેનો છે અને માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં પણ બહેનો છે.
 
મિહિર ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, તેમના આવતીકાલે સવારે વીએસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘણા સમયથી તેમની નાદુરસ્ત તબિયત હતી અને ત્યારબાદ તેઓને સ્ટ્રોક આવ્યો હતો. ધીરે-ધીરે તેઓ ચાલતા પણ થયા હતા. હિંચકે બેસી અને કોયલને ચીડવતા પણ હતા. પરંતુ છેવટે તેમને ઓપરેશન કરાવવું પડ્યું. ગેંગરીંગ થયું હતું અને તે ફેલાઈ ગયું હતું. ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શરીરના કેટલાક અંગો સાજા થયા હતા અને કેટલાક અંગોમાં રિકવરી આવી ન હતી. છેલ્લી ઘડી સુધી તેઓને બહેનોની અને ગરીબોની ચિંતા કરી હતી. આજે બપોરે 12.20 વાગ્યે અચાનક જ તેમનું અવસાન થયું હતું.
 
PM અને CMએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
સેવા સ્થાપક ઈલા ભટ્ટના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વીટ ઇલા ભટ્ટના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોકની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

<

ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્તિકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥

— Narendra Modi (@narendramodi) November 2, 2022 >


<

SEWA સંસ્થાના સ્થાપક, અગ્રણી સમાજસેવિકા ‘પદ્મભૂષણ’ ઈલાબેન ભટ્ટના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. શોકની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. મહિલાઓના આર્થિક સશક્તિકરણ થકી તેમણે અનેક પરિવારોમાં ઉત્કર્ષની જ્યોત જગાવી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 2, 2022 >

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments