Webdunia - Bharat's app for daily news and videos

Install App

માધવપૂર ઘેડના મેળાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરાશે, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય યોજાઇ બેઠક

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:26 IST)
ગુજરાતમાં પોરબંદર નજીક માધવપૂર ઘેડ ખાતે યોજાતા મેળાનો આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી પાંચ દિવસ માટે યોજાતા આ મેળાને વ્યાપક રૂપ આપવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટેના ભારત સરકારના મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એવું પણ નિયત કરવામાં આવ્યું કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થાનોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે. આના પરિણામે, બેઉ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થવાથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થઇ શકશે.
 
મુખ્યમંત્રીએ કૃષ્ણ-રૂકમણિજીના કથાનક તેમજ પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવા પેઢી માહિતગાર થાય, તેને માણે અને સમજે તેવા ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ ઘડવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશો આપેલા છે. આ મેળાના વ્યાપકસ્તરે પ્રચાર-પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઊદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત-ઉત્તરપૂર્વીય રાજ્યની કલા-સંસ્કૃતિનો વૈભવ વારસો માણવા-નિહાળવાની તક મળશે એમ પણ આ બેઠકની ચર્ચા-વિમર્શમાં જણાવાયું હતું. 
 
મુખ્ય સચિવ અનિલ મૂકીમ, ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ભારત સરકારના તેમજ ગુજરાતના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

આગળનો લેખ
Show comments