Dharma Sangrah

ગુજરાત સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મુદ્દે શું કરી મોટી જાહેરાત?

Webdunia
મંગળવાર, 19 મે 2020 (16:07 IST)
ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે લોકડાઉન-4ને લઈને વેપાર-ધંધા ઉપરાંત પણ ઘણી છૂટછાટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં એસ.ટી. બસો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે, રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નથી. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાય કોઈપણ નાગરિક વગર પાસે અન્ય જિલ્લામાં જઈ શકશે. ત્યારે હવે લોકોને ગુજરાતમાં પાસ વગર પરિવહન કરવાન છૂટ મળી ગઈ છે.નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સિવાય રીક્ષામાં મુસાફરીને પણ પરવાનગી આપી છે. જોકે, રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત બે જ લોકો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કેબ સર્વિસને પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં ડ્રાઇવર ઉપરાંત બે લોકો મુસાફરી કરી શકશે. આ સિવાય ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે કેસો વધવા લાગશે તો તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments