Webdunia - Bharat's app for daily news and videos

Install App

માછલી પાણી વગર તરફડે તેમ કોંગ્રેસ સત્તા વગર તરફડે છે - મંત્રી જીતુભાઈ વાઘાણી

Webdunia
મંગળવાર, 29 માર્ચ 2022 (11:16 IST)
વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોય તો કૉંગ્રેસ તેના આધાર પુરાવાઓ લોકો સમક્ષ રજૂ કરે-  પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી
 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસને પડકાર કર્યો છે કે, વન રક્ષકની પરિક્ષાનું પેપર ફૂટી ગયું એવો વિપક્ષ આક્ષેપ કરતો હોય તો તેને આના આધાર પૂરાવાઓ લોકો સમક્ષ રજુ કરવા જોઇએ.  “પોતે ફુટેલા હોય એમને બીજા ફૂટેલા જ લાગે” તેવો મત વ્યક્ત કરતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ઉપર ખોટા આક્ષેપો મુકનારી કોંગ્રેસ સત્તા વિના બેબાકળી બની ગઇ છે.
 
પાણી વિના તરફડતી માછલીની જેમ કોંગ્રેસ તરફડે છે, પરંતુ ગુજરાતની જનતા-જનાર્દન ૨૦૨૨ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપશે અને ભાજપાનું સમર્થન કરશે એવો મક્કમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જીતુભાઇ વાઘાણીએ વનરક્ષક પરિક્ષાના સંદર્ભમાં વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની અને વિધાનસભા ગૃહમાં કરેલા દેખાવોની આકરી આલોચના કરી હતી.  
 
તેમણે ઉમેર્યું કે, ગઇ કાલે વનરક્ષકની પરીક્ષા યોજાઇ તેનું પેપર ફૂટ્યું નથી, એ કોપી કેસ-ચોરીનો કેસ છે. પેપર ફૂટ્યાની કોઇ માહિતી અમને મળી નથી. કોંગ્રેસ પાસે હોય તો રજુ કરે તો તે દિશામાં પણ અમે નક્કર પગલા ભરવા કટિબદ્ધ છીએ.  
 
પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ કેસમાં જે લોકોની સંડોવણી છે તેમની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આકરી કલમો લગાવી જામીન પણ ન મળે તેવી કડક કાર્યવાહી સાથે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારોને સખત સજા માટે સુચનાઓ આપી છે.   
 
જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ જ્યારે આવી ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે ત્યારે સરકારે સખત પગલા લીધા જ છે. કોંગ્રેસીઓના શાસનમાં તો નોકરીઓમાં  સગાવાદ ભાઇ-ભતિજા વાદ ચાલતો એમ પણ તેમણે ઉમેર્યું હતું.
 
જીતુભાઇ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના હાથમાં રાજ્યનું સુકાન આવ્યું ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો પારદર્શી પદ્ધતિએ લેખીત પરીક્ષા, ઇન્ટરવ્યું વગેરે યોજીને યોગ્ય લાયકાતના આધારે જ નોકરીની તકો આપતી આવી છે.
 
રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર છે તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાત દેશનું હબ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળથી લઇને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના શાસન સુધીમાં સૌથી વધુ જી.આઇ.ડી.સી. ગુજરાતમાં નિર્માણ કરવામાં આવી છે. યુવાનોને રોજગારી આપવાનું ભગીરથ કાર્ય પણ ભા.જ.પા. સરકારના શાસનમાં થયું છે.
 
તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, વિપક્ષ કોંગ્રેસને ખોટા આક્ષેપો, ગતકડા ઉભા કરીને વિધાનસભાગૃહમાં વિરોધ દર્શાવી લોકોની નજરમાં રહેવાના કારસા જ કરવા છે.
ગુજરાતની શાણી-સમજુ પ્રજાને ભારતીય જનતાપાર્ટીની સરકારમાં અમારી પારદર્શી સુશાસન પદ્ધતિમાં સંપૂર્ણ વિશ્વાસ છે એટલે વિરોધના વમળો ઉભા કરવાની કોંગ્રેસની કોઇ કારી ફાવવાની નથી, એમ તેમણે વિપક્ષની આકરી આલોચના કરતા જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

આગળનો લેખ
Show comments