Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50 ટકાનો વધારો, વર્ષે 6 કરોડનો થશે ફાયદો

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2019 (17:25 IST)
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે નાના 80 ગ્રામના પેકેટ ઉપર રૂપિયા પાંચનો એટલે કે 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે . યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીના પ્રસાદ સ્વરૂપે મહોનથાળના પેકેટ સાથે લઈ જતા હોય છે. અહીં પ્રસાદ સ્વરૂપે મોહનથાળનો પ્રસાદ બનાવાતો હોય છે. વર્ષોથી આ પ્રસાદનો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે. 
આ પ્રસાદના વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે 4 કરોડ રૂપિયા જેટલી ખોટ ખાઈને કરતુ હતું, પરંતુ હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદના ભાવમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે. જે 80 ગ્રામનું પેકેટ 10 રૂપિયામાં અપાતું હતું તેના હવે રૂપિયા 15 કરી દેવામાં આવ્યા છે. આ ભાવવધારો પણ લાગુ કરી દેવાયો છે. જોકે હાલમાં પ્રસાદની કાચી સામગ્રીના ભાવો વધતા પણ ટ્રસ્ટે આ ભાવ વધારો કરવાની ફરજ પડી હોય તેમ 50 ટકાનો ભાવ વધારો કરાયો છે જેનાથી ટ્રસ્ટ હવે નુકશાની નહિ કરે.
 
 
જોકે આ ભાવવધારાને લઈ શ્રદ્ધાળુઓમાં કોઈ વિપરીત અસર જોવા મળી નથી. જે પણ પ્રસાદના બદલે નાણાં જાય છે તે મંદિર માં જ જાય છે અને બજાર કરતા શુદ્ધ પ્રસાદ મળી રહે છે. તેવું માની સંતુષ્ટી અનુભવી રહ્યા છે
. એટલું જ નહીં અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદમાં દર વર્ષે અંદાજે રૂપિયા 4 કરોડ ઉપરાંતનું નુકસાન કરતુ હતું. જયારે મોહનથાળનો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયા નો ભાવ મંજુર કરાયો છે. જેમાં એજન્સી 7 પૈસાનું પેકેટ દીઠ નુકસાન વેઠીને મંદિર ટ્રસ્ટ પાસે થી રૂપિયા 15 જ લેશે. જેનાથી અંબાજી મંદિર ટ્રસ્ટને વાર્ષિક રૂપિયા 6 કરોડનો ફાયદો થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments