Webdunia - Bharat's app for daily news and videos

Install App

12થી 14 ડિસેમ્બર ગુજરાત હાઈકોર્ટ અને પરિસરને સેનિટાઈઝ કરાશે, વહીવટી કામ રહેશે બંધ

Webdunia
શનિવાર, 12 ડિસેમ્બર 2020 (14:10 IST)
ગુજરાત હાઇકોર્ટ સેનિટાઇજેશન માટે 12 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ ત્રણેય દિવસ દરમિયાન કોર્ટને તમામ ન્યાયિક અને વહિવટી કાર્યવાહી પૂર્ણરૂપથી બંધ રહેશે. 15 ડિસેમ્બરથી હાઇકોર્ટમાં પહેલાંની માફક કાર્યરત રહેશે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર કોરોનાના વધતા જતા કેસને જોતાં હાઇકોર્ટને 12 થી 14 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ત્રણેય દિવસ દરમિયાન હાઇકોર્ટ પરિસર, પોસ્ટ ઓફિસ, બેંક, જ્યૂડિશિયલી એકેડમી સહિત તમામ જગ્યાઓને સેનિટાઇઝ કરવામાં આવશે.  
 
આગામી 15 ડિસેમ્બર સુધી હાઇકોર્ટના ફિજિકલ ફાઇલિંગ સેન્ટર પણ બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન ઇ-ફાઇલિંગ પોર્ટલ કાર્યરત રહેશે. નવી અરજીઓ પર સુનાવણી 15 ડિસેમ્બરથી કરવામાં આવશે. આ ઉપરાંત 14 ડિસેમ્બરના રોજ તબક્કાવાર કેસોને પણ 15 ડિસેમ્બરની યાદીમાં સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે હાઇકોર્ટના ન્યાયાધીશ જીઆર ઉંધવાણીનું કોરોનાને કારણે મોત થયું હતું.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments