Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ

Webdunia
શનિવાર, 12 ડિસેમ્બર 2020 (12:56 IST)
ગત 24 કલાકથી વેસ્ટર્ન ડિસ્ટર્બના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે. જેના લીધે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ ખેરગામ, ઉમરગામ, વાપી, ચીખલી, સુરત શહેર, વઘાઈ, જાફરબાદ, કામરેજ સહિતના તાલુકાઓમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 
 
જ્યારે  જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા ખાબક્યો હતો. તો આ તરફ વેરાવળ, ઉના, સૂત્રપાડા, તાલાલા, કોડિનારમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વરસાદી વાતાવરણની સાથે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું અને હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાતાવરણ પર અસરના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો તેમજ વરસાદની આગાહી કરી છે. સાથે જ આવતીકાલથી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડાની સાથે ઠંડીનો પ્રમાણ પણ વધશે. સોમવારથી અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી જેટલો ગગડીને 12 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 
 
હાલમાં અમદાવાદમાં માવઠાની અસરને લીધે ઠંડી વધી છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ સોમવારથી અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે, જેને કારણે અમદાવાદના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય પણ લઘુતમ તાપમાન ગગડીને સોમવારથી 12 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments